________________
આ વાક્ય સાંભળી શીલસન્નાહ વિચાર કરવા લાગ્યો. તેટલામાં તો તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. | બ્રહ્મચર્યનો પ્રેમ પણ આત્માને આવી ઉચ્ચકક્ષાએ પહોંચાડી શકે છે, તો જીવનભર બ્રહ્મચર્ય સાથે સંયમ પાળીએ. તો કેવું અદ્ભુત ઉત્થાન થાય !!! ઈત્યાદિ, વૈરાગ્યભાવમાં આવી શીલસન્નાહે ત્યાં જ દીક્ષા લીધી.
શીલસન્નાહમુનિ વિહાર કરતાં કરતાં એક વખત ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવ્યા. ત્યાં રુકિમણી વંદન કરવા આવી. અને ઉધાનમાં દેશના સાંભળી. દેશના સાંભળવાથી તેના રોમેરોમમાં વૈરાગ્યભાવની ઝનઝનાટી ઊભી થઈ. 'દિલ સરોવરમાં વૈરાગ્યભાવની ભરતી આવવા લાગી. તેણીએ સમગ્ર સંસારનો ત્યાગ કરી ચારિત્ર સ્વીકાર્યું.
- ઘણા વર્ષો પછી શીલસન્નાહ આચાર્ય થયા. ત્યારબાદ રુક્મિણી સાધ્વી પણ વિહાર કરતાં એ આચાર્યની પાસે આવી અને કહેવા લાગી કે, “મારે અનશન કરવું છે.” આચાર્યશ્રીએ કહ્યું કે, “અનશન કરતા પહેલાં આલોચના કરીને આત્માને હલકો બનાવવી જોઈએ. જેથી સદ્ગતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય.’ | આલોચનાશુદ્ધિ કર્યા વગર હજાર વર્ષનો પણ કરેલો તપ
નિષ્ફળ જાય છે. તેણીએ આલોચના કહેવાની શરૂઆત શીલસના લોચ કરી દીક્ષા લે છે. કરી. અનેક પ્રકારની હિંસા, અસત્ય, ચોરી આદિની
Jain Education Internet
www.ainelibrary.org