________________
પેટ્રોલ-પાણી
એક મકાનમાં આગ લાગી ભડ ભડ ઊઠતી અગનજ્વાલાઓ જાણે કે , આકાશને આંબવા મથતી હતી. એ મકાનમાં બે ભાઈઓ રહેતા હતા. એ બન્ને વચ્ચે ચર્ચા ચાલી. મોટોભાઈ નાનાભાઈને દોષિત ઠેરવી રહ્યો છે. તેં ફલાણી, ગરબડ કરી, માટે આગ લાગી. નાનો ભાઈ પણ કાંઈ ગાંજ્યો જાય એમ ન હોતો. “મારી શેની? તમારી જ ભૂલ છે.’ બન્ને વચ્ચે ચર્ચા ચાલી. પડોશીઓ ચિલ્લાય છેઃ “અરે! પહેલાં આગ તો બૂઝવો. બન્ને ભાઈઓ ના પાડે છે. “ના, પહેલાં નક્કી થવા દો કોની ભૂલ છે? પછી જ આગ બૂઝવીશું.'
આ બન્ને ભાઈઓને કેવા કહીશું? ડાહ્યા કે પાગલ? .
આમાં પ્રશ્ન જ ક્યાં છે? બન્ને પાગલ છે, કારણકે ભૂલ નક્કી થાય ત્યાં સુધીમાં તો બળીને બધું સાફ. પછી કોની ભૂલ? એ નક્કી થયું તો યે શું? ને ન થયું તો યે શું? આ હકીકત એ વાતનું સૂચન કરે છે કે આગ લાગી હોય ત્યારે પહેલું કર્તવ્ય “કોની ભૂલ છે?” એ નક્કી કરવાનું નહીં, પણ આગ બૂઝવવી એ છે. જ્ઞાનીઓ કહે છે કે જેમ એક મકાનમાં આગ લાગે છે એમ આત્મામાં પણ એક આગ પેદા થાય છે, ક્રોધની આગ. એ જ્યારે લાગે છે ત્યારે પણ પહેલું કર્તવ્ય એ આગને બૂઝવી દેવી એ જ હોય છે, નહીં કે તે મને ગાળ આપી, માટે મને ગુસ્સો આવ્યો” વગેરે રૂપે કોની ભૂલ છે એનો નિશ્ચય કરવો એ.
પાણી છાંટો તો આગ બૂઝાય. પેટ્રોલ સીંચો તો આગ વધારે ઉદ્દીપ્ત થાય. ક્રોધની આગ માટે પણ આવું જ છે. એવું કયું પાણી છે જે છાંટવાથી ક્રોધની આગ શાંત થઈ જાય ? એવું કયું પેટ્રોલ છે જે ક્રોધની આગને વધારે ભયંકર બનાવે ? ટૂંકમાં ક્રોધની આગ માટે પાણી શું? અને પેટ્રોલ શું?
સભા : ક્ષમા - સમતા એ પાણી છે.
“ના, એ તો પરિણામ છે. ક્રોધ શાંત થઈ જવો એ જ તો ક્ષમા-સમતા છે પણ એવું કયું પાણી છાંટીએ તો ક્રોધ શાંત થઈ જાય?”
પોતાની ભૂલ જોવી એ ક્રોધની આગ માટે પાણી છે ને સામાની ભૂલ જોવી એ ક્રોધની આગ માટે પેટ્રોલ છે.
વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની એક મહત્ત્વની મીટિંગ છે. તમને પણ આમંત્રણ છે. નવા નક્કોર હાઈટ અને વ્હાઈટ કપડાં પહેરીને તમે જવાનું નક્કી કર્યું છે. જરા મોડું થઈ ગયું. ધડાધડ તૈયારી કરવાની છે. તમે નોકરને
Jain Education International
જેલર. www.jamembrary.org
For Personal & Private Use Only