________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
માતંગસિદ્ધાયિકા પરિપૂજિતાય શ્રી વર્ધમાનસ્વામિને નમઃ
શ્રી વિજય પ્રેમ – ભુવનભાનુ - જયઘોષ – ધર્મજિત – જયશેખરસૂરીશેભ્યો નમઃ મૈં નમઃ
-
જેલર
સંતપુરુષે સભાને કેટલાક પ્રશ્નો પૂછ્યા...
સંત : સુખ કોને જોઈએ ?
સભા : બધાને... ગરીબ હોય કે તવંગર.. રોગી કે નિરોગી... ભણેલો કે અભણ. સુખ તો જીવમાત્રને જોઈએ.
સંત : ક્યારે જોઈએ ? દિવસે કે રાત્રે ?
સભા : બારે મહિના ને ચોવીસે કલાક.
સંત ઃ દુઃખ કોને જોઈએ ? ક્યારે જોઈએ ?
સભા : દુઃખ કોઈને જોઈતું નથી, ક્યારેય જોઈતું નથી.
સંત : દુનિયામાં લાખો કંપનીઓ છે. એક સામાન્ય નિયમ તરીકે કોઈપણ કંપની કેવો માલ બનાવવા ચાહે ?
સભામાંથી કટલાક : સારામાં સારો..
વળી બીજા : વધુમાં વધુ નફો કરાવે એવો...
સંત : ના, માલ ગમે એટલો સારો કે નફાકારક હોય, પણ એની ખપત જ ન હોય તો? એટલે સામાન્ય નિયમ એ છે કે કોઈપણ કંપની એવો જ માલ બનાવવા ચાહે છે કે જે માલની બજારમાં માગ હોય. જે માલની બિલકુલ ડિમાન્ડ ન હોય આવો માલ કોઈપણ કંપની ક્યારે પણ બનાવતી નથી. તો પછી કુદરતનામની કંપની દુઃખનામના માલનું સર્જન શા માટે કરે છે ? કારણકે દુઃખનામના માલની બજારમાં બિલકુલ માગ નથી. મફતમાં આપવા માગો તો પણ કોઈ જીવહાથમાં ઝાલવા તૈયાર નથી. બધાને સુખ, સુખ ને સુખ જ જોઈએ છે. એટલે આ પ્રશ્ન તો ઊભો થાય જ છે કે જ્યારે એકપણ જીવ દુઃખ ચાહતો નથી, તો કુદરત દુઃખ શા માટે આપે છે ? અલબત આ પ્રશ્નનો જવાબ કર્મ તો છે જ; પણ આ પ્રશ્નનો જવાબ લોકભાષામાં મેળવવો છે. ને એ માટે કોઈપણ જેલનો સર્વે કરવાનો. ૫૦-૧૦૦-૨૦૦ જેટલા પણ કેદી હોય, દરેકને પૂછવાનું કે ‘બોલો તમારામાંથી સજા કોને જોઈએ છે ?” શું જવાબ મળશે?
‘કોઈને નહીં.’
Jain Education International
૧
For Personal & Private Use Only
જેલર
www.emerary.org