________________
-: અભિપ્રાય :દેખાવમાં નાની લાગતી પુસ્તિકા, એની કામગીરી જોવા જોઈએ તો જાણે લાખો ટન સંકલેશો - ઉદ્વેગો, ક્રોધાનુબંધોને નિકાલ કરવાની ફેકટરી ન હોય તેવું લાગ્યા વિના રહે નહીં. છ કર્મગ્રંથોનું વલોણું કરી માખણ મેળવવામાં આવે તેનું નામ એટલે “જેલર પુસ્તિકા.
- એક વાંચક..
* ગુરુદેવ! આ પુસ્તક વાંચ્યા પછી એના સ્વભાવમાં એટલો બધો change આવી ગયો છે જેનું એને ખુદને આશ્ચર્ય થાય છે ને અમને ખૂબ શાંતિ અનુભવાય છે.
- એક વાંચક બહેનના પતિદેવ
-: સમર્પણ :અમીચંદની અમીદ્રષ્ટિ, ગુણસેન - અગ્નિશર્મા વગેરે પુસ્તકો અને દિવ્યદર્શન સાપ્તાહિકના અનેક અગ્રલેખો દ્વારા કૈક વૈરીઓના વેરને ક્ષમા અને મૈત્રીમાં રૂપાંતરિત કરી દેનારા સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને તેઓશ્રીના હોટ ફેવરીટ વિષયરૂપ ક્ષમા - મૈત્રી પરના, તેઓશ્રીના જ વિચારબીજમાંથી પાંગરેલો આ નિબંધ તેઓશ્રીને શ્રદ્ધા – આદર - ભક્તિ સહિત સમર્પિત કરતાં આનંદ અનુભવું છું.
- અભયશેખર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org