________________
વિષમ બની ગઈ. અને સંસારની ટ્રેજેડી જુઓ. પેપર ખોલાવ્યા. રીચેક કરાવ્યું. હકીકતમાં મેરિટ તુલ્ય જ માર્ક્સ હતા.માર્કશીટમાં ગરબડ થઈ ગયેલી. મેડિકલમાં એડમિશન પણ મળી ગયું. ડૉકટર પણ બની ગઈ. ઘણાના રોગ મટાડે છે. પણ પોતાનું શરીર ? એની પ્રકૃતિનો પોતાને જ કોઈ ભરોસો નહીં. ઉમર ચાલીસને વીતાવી ગઈ છે. પણ પરણવાની હિંમત કરી શકતી નથી. એક બીજું દૃષ્ટાંત પણ જોઈ લઈએ.
અંગ્રેજી સાહિત્યકાર જેરેમીટેલર, સરસ્વતી અને લક્ષ્મી. બન્નેના એના પર ચાર હાથ હતા. પણ એક સરખો ચાલે એ સંસાર શું કહેવાય ? જે બેંકમાં જીવનભરની મૂડી હતી એ બેંક ફડચામાં ગઈ. આ સમાચાર મળવા પર એનો મિત્ર એને આશ્વાસન આપવા આવ્યો. પણ આશ્ચર્ય ! આ તો બિલકુલ શાંતપ્રસન્ન હતો. માત્ર આંખમાં જ નહીં, એના અંતરમાં પણ લક્ષ્મી ચાલી ગયાની કોઈ અસર નહોતી. મિત્રે પૂછ્યું: તને દુઃખ નથી થતું? એણે કહ્યું: જો દોસ્ત! હવા-પાણી-વાણીની બધી જ સુવિધા આજે પણ અકબંધ છે. મારા અંગે અંગમાં સ્કૂર્તિ અને તાજગીનો ઝરો વહી રહ્યો છે, હાથ - પગ એવા જ મજબૂત છે. આંખની રોશની અંશમાત્ર પણ ઘટી નથી. આવી તો કેટલીય નૈસર્ગિક સંપત્તિસમૃદ્ધિથી મારું જીવન સભર છે. વળી મારા સચ્ચારિત્ર્યના કિલ્લાની એક કાંકરીય ખરી નથી. પછી દુઃખ શામાટે ? મૂળ-થડ-શાખા અને પ્રશાખા બધું સલામત છે. થોડાં પાંદડાં ખરી પડ્યા એમાં ચિંતા શું ?
જે જીવન - મરણનો પ્રશ્ન બની જાય એવું તો જીવન જ હોય શકે ને ! એના સિવાયની ધન - પદવી વગેરે ભૌતિક વસ્તુ કરતાં બેશક જીવન જ મહામૂલું છે. આ શું સમજાવવાની વાત છે ? એટલે ધનને ખાતર આરોગ્યની સાથે ચેડાં કરવા એ ડહાપણ નથી એ સ્પષ્ટ છે. - તથા આરોગ્યને જાળવી રાખનારો, છેવટે કાળી મહેનત કરીને પણ જીવનનિર્વાહને જરૂરી ધન તો પ્રાય: મેળવી જ લે છે. જ્યારે આરોગ્યને ફટકો મારી દેનારો, પછી લાખો-કરોડો કમાય ને ટ્રીટમેંટ પાછળ લાખો-કરોડો ખર્ચે તો પણ આરોગ્ય પાછું મેળવી શકતો નથી. ને બિલકુલ પરાધીન-લાચારીમય જીવન વિતાવવું પડે તો પણ નવાઈ નહીં. ટૂંકમાં આરોગ્યથી ધન પાછું મેળવી શકાય છે, પણ ધનથી આરોગ્ય પાછું મેળવી શકાતું નથી. માટે આરોગ્ય ગુમાવવામાં કંઈક ગુમાવ્યું છે.
વળી દુન્વયીદષ્ટિએ ધનની મહત્તા, એના દ્વારા જે સગવડ સુવિધા ને
| જેલર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org