________________
કે એક જ વારની ધોબીપછાડ એવો વસમો ઘા મારી છે જેની જિંદગીભર કળ જ વળે નહીં.
પ્રશ્ન : દુનિયામાં સંપત્તિની બોલબાલા છે. ને સાહસ વિના સંપત્તિ
ક્યાં?
ઉત્તર : છતાં “પહેલું સુખ તે જાતે નર્યા.' આરોગ્ય કરતાં સંપત્તિને વધારે મહત્ત્વ તો ન જ આપવું જોઈએ. ધારો કે ધંધામાં પચ્ચીશલાખનું નુકશાન થઈ ગયું. આ નુકશાનને ધંધામાં જ રહેવા દેવાનું. મનમાં લઈ જવાનું નહીં. પણ, પૈસાને આપી દીધેલું વધારે પડતું મહત્ત્વ નુકશાનને મનમાં લઈ ગયા વગર રહેતું નથી. અને મનમાં પહોંચેલું નુકશાન બી.પી, સુગર વગેરે કોઈ ને કોઈ હાઈપરટેન્શાનના રોગની ભેટ આપ્યા વિના રહેતું નથી.'
ધંધામાં કમાણી તો ફરીથી થઈ જાય છે. નુકશાન બધું ભરપાઈ થઈ જાય છે. પણ આગંતુક તરીકે આવેલા બી.પી. વગેરે ખસવાનું નામ લેતા નથી. શું આમાં ડહાપણ છે? ને કોઈક તો એવો આઘાત લગાડી દે કે પછી સાવ સૂનમૂન થઈ જાય. આખો દિવસ વિચારોમાં ને વિચારોમાં ખોવાયેલો રહે. બાઘાની જેમ આમતેમ જોયા કરે. અત્યંત હોંશિયાર ને ભારે પરિશ્રમી ૨૭-૨૮ વર્ષનો યુવાન પણ હવે આખો દિવસ ઘરમાં પડ્યો રહે. કશું કરે નહીં, કશી જવાબદારી સમજે જ નહીં. અને પત્ની તથા પરિવારમાટે મોટો ચિંતાનો વિષય બની જાય.
મને ખ્યાલ છે મહારાષ્ટ્રના એક શહેરની જેને પરિવારની જ એક યુવતી, ભણવામાં હોંશિયાર પણ ખૂબ ને સિન્સીયર પણ એવી જ. ડૉકટર બનવાની ખ્વાહિશ હતી ને એ મુજબની જ મહેનત હતી. પરીક્ષા આપી. પેપરો પણ ખૂબ જ સારા ગયા. મેરિટમાં નંબર આવશે ને એના પર જ મેડિકલમાં એડમિશન પણ મળી જશે આવા છલકાતા વિશ્વાસ સાથે પરિણામની પ્રતીક્ષા કરી રહી હતી. પણ પરિણામે ધબાકો બોલાવી દીધો, જેની સ્વપ્નમાંય કલ્પના નહોતી. પાસિંગ માર્ક માંડમાંડ પાસ થયેલી. મેડિકલમાં પ્રવેશનું સ્વપ્ન તો ચૂરચૂર થઈ ગયું. પણ એટલો સખત આઘાત કે દમનો રોગ લાગુ પડી ગયો. અસ્થમાનો પહેલો જ એટેક એટલો જોરમાં આવ્યો કે ઘરના બદલે સીધી હોસ્પિટલાઈઝ કરવી પડી. હોસ્પીટલમાં ડૉકટરની પણ ટ્રીટમેંટ કરવામાં કોઈ એવી ભૂલ થઈ ગઈ કે અસ્થમા હંમેશનો ઘર કરી ગયો ને ગમે ત્યારે એવી વિચિત્ર રીતે દમનો જોરમાં હુમલો આવી જાય, કશું કહેવાય નહીં. શરીરની પ્રકૃતિ જ અત્યંત
[ જેલર ].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org