________________
પણ ભીમસેનની પ્રામાણિકતાથી ઓવારી ગયેલો છે. કર્મસત્તા એનો વિચાર તો બદલી શકે એમ નથી. એટલે એણે ભીમસેન પાસે જ ભૂલ કરાવી. શેઠ આપેલ નવ લાખની કિંમતના રત્નો ભરેલી કંથાને પ્રાણની જેમ છાતી ને છાતી પર જ રાખીને ઠેઠ જ્યાં પોતાનો પરિવાર છે તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પાદર સુધી તો પહોંચ્યો. ને ત્યાં સ્વચ્છ નિર્મળજળવાળું સરોવર જોઈ સ્નાન કરવા કર્મસત્તાએ એને લલચાવ્યો. નિર્જન જગ્યાને સલામત સમજી કિનારે વસ્ત્ર - કંથા મૂકી સ્નાન માટે સરોવરમાં પેઠો. અને કર્મસત્તાએ વાંદરા પાસે ભીમસેનના સર્વસ્વ જેવી કંથાનું હરણ કરાવ્યું. ભીમસેનને ઠેઠ આત્મહત્યાના પગલા સુધી મજબુર થવું પડે એવો કારમો ઘા કરવાની વાંદરાની કોઈ ઈચ્છા નથી. એને તો એક માત્ર રમત જ કરવાની હતી. પણ ભીમસેન પર તો એવો ઘા પડી જ ગયો.
પાછો જટાધારી બાવો ભીમસેનને વડવાઈના ફાંસામાંથી બચાવે છે. એની દુઃખદ આપવીતી સાંભળી કરુણાદ્ધ બની આશ્વસ્ત કરે છે. ભીમસેનને ઉત્તરસાધક તરીકે રાખી ચાર તુંબડા સુવર્ણરસ સિદ્ધ કર્યો જેમાંથી બાવાએ, નિષ્કપટપણે ઉદારતાથી ૧ તુંબડું રસ ભીમસેનને આપવાની વાત કરી છે. બને પાછા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પાદર સુધી પહોંચી ગયા. બાવાએ ભીમસેનને ભોજનનો પ્રબંધ કરવા નગરમાં મોકલ્યો. આ મોકલવા પાછળ પણ બાવાના મનમાં કોઈ જ મલિન ઈરાદો નથી. પણ જેવો ભીમસેન ગયો કે તરત કર્મસત્તાએ આ બાવાની દાનત બગાડી. “એક તુંબડું રસ પણ શા માટે આપવો ?' એ વિચારે ભીમસેનના આવવા પૂર્વે જ બાવો છૂમંતર થઈ ગયો.
આપણે સુરસુંદરી અને અમરકુમારને પણ યાદ કરી લઈએ. સુરસુંદરી રાજકુમારી છે. અમરકુમાર નગરશ્રેષ્ઠીનો પુત્ર છે. અત્યંત બાલ્યકાળની વાત છે. નિદ્રાધીન સુરસુંદરીની ૭ કોડી ઊઠાવીને મિઠાઈ લાવીને અમરે બધા બાળકોને ખુશ કર્યા. જાગેલી સુરસુંદરીને પણ એના ભાગની મિઠાઈ આપી. “આ ઉજાણી કોના તરફથી ?'
‘તારા તરફથી' કહીને અમને બધી વાત કરી. બહુ જ સ્નેહભરેલા મીઠા સંબંધો હતા. “આ મસ્તીમજાકથી સુરસુંદરી પણ ખુશ થશે” આવી કલ્પના અમરને હતી. પણ બન્યું ઊલટું. સુરસુંદરી ગુસ્સે થઈ ગઈ.
આવી ચોરી કરતાં ક્યાંથી શીખ્યો ?” વગેરે વાગ્માણથી અમરનું દિલ વીંધ્યું. મસ્તીમાં કરેલી નાની મજાકને મોટું સ્વરૂપ ન આપવા અમરે કહેવા પર રાજકુમારીએ તું સાતકોડીને નાની વાત માને છે. હું સાત કોડીથી રાજ્ય લઈ
(૪૨
[ જેલરary.org
Jain Education International
For Personal & Private Use Only