SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મજાક કરવાનું મન કરાવ્યું. શ્રેષ્ઠી કન્યા - નવોઢા શયનખંડમાં પતિની પ્રતીક્ષા કરી રહી છે ને વ્યંતરદેવ એના પતિનું રૂપ લઈ શયનખંડમાં પ્રવેશી એની સાથે વાતો કરવા લાગ્યો. નવોઢાને કશી ખબર નથી. એ તો એને પતિ જ સમજે છે ને એ રીતે પ્રેમાલાપ કરવા લાગી. એના પતિએ બહાર આ વાતો સાંભળી. એના મનમાં થયું “મારી પત્ની લગ્નના દિવસે જ જો પરપુરુષ સાથે આ રીતે વાત કરે છે તો જરૂર એ દુરાચારિણી જ છે. મારે એનાથી સર્યું.' એ પત્નીને છોડીને ચાલ્યો ગયો. સાસરે કહી દીધું કે મને આ લગ્ન માન્ય નથી.” શ્રેષ્ઠી કન્યાને આ જાણીને આંચકો લાગ્યો. પછી તો વૈરાગ્યવાસિત થઈ દીક્ષા લીધી. સુંદર સાધ્વીજીવન જીવે છે. આ બાજુ પૂર્વભવની જે બે ભાભીઓ હતી એની જ સાથે કાળક્રમે આ બન્ને ભાઈઓના લગ્ન થયા. સાધ્વીજી મહારાજ પણ વિહારક્રમે એ જ નગરમાં પધાર્યા છે. પૂર્વભવની પ્રીતિના કારણે બન્ને પત્નીઓને એમના પર પ્રીતિભક્તિભાવ છે ને તેથી રોજ એમની સેવા-વૈયાવચ્ચ કરવા જાય છે. ગોચરીની વિનંતી કરે છે. એક દિવસ સાધ્વીજી એમના ઘરે ભિક્ષા માટે જાય છે. ત્યાં ઉપદેશ આપી રહ્યા છે. એ વખતે બહાર પોતાનો હાર રાખી પત્ની કંઈક કામે અંદર ગઈ. બહાર એકલા સાધ્વીજી ને હાર રહ્યા. ત્યારે દિવાલ પરના ચિત્રમાં રહેલો મોર ચિત્રમાંથી બહાર આવ્યો ને હાર લઈને ચાલ્યો ગયો. (કોઈક દેવે આ રીતે ફરીથી મજાક કરી.) પછી હાર ચોરાયાનો આક્ષેપ સાધ્વીજી પર આવ્યો. ગુરુણીએ પણ ઠપકો આપ્યો કે ગૃહસ્થના ઘરમાં રોકાવાની જરૂર શી? ત્યાં ઊભા શા માટે રહ્યા ?” વગેરે. ‘હવે, આ કલંક ધોવા માટે સાગારિક અનશન કરો.” તેઓએ કર્યું. કાઉસ્સગ્નમાં ઊભા રહ્યા. શુભભાવોની ધારા વધતાં વધતાં શુક્લધ્યાન પર આરૂઢ થઈ કેવલજ્ઞાન પામ્યા.લોક ભેગું થયું. ને ત્યાં જ પેલો ચિત્રમાંનો મોર આવી તે હાર મૂકી ગયો. બધા આશ્ચર્ય પામ્યા. ને પ્રશ્ન પૂછવા પર કેવલજ્ઞાની સાધ્વીજી ભગવંતે પૂર્વભવના વૃત્તાંતથી માંડીને બધી વાત કરી. અગ્નિશર્માના પારણાના દિવસે જ ગુણસેનને ભયંકર શિરોવેદના ઊઠે? વળી બીજીવાર પણ પારણાના જ દિવસે, એકદિવસ પણ આગળ-પાછળ નહીં, અચાનક યુધ્ધની નોબત આવી જાય ? ભીષ્મ તપસ્વીના બબ્બે માસક્ષમણનું પારણું પોતે ચૂકવ્યું છે. અગ્નિશર્માને સળંગ ત્રીજું માસક્ષમણ ચાલુ થઈ ગયું છે. તપની સાથે એ સમતામાં પણ આગળ વધ્યો છે. ને તેથી ગુણસેનનો અહોભાવ Jain Education International For Personeerivate Use Only www.jainelibrary.org
SR No.005651
Book TitleJailer
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year2009
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy