________________
જાય છે એટલી જ વાત છે. અન્યત્ર કોઈક દષ્ટાંતમાં તો એવું પણ આવે છે કે પોતાના જાનનું જોખમ ખેડીને પણ એ જલ્લાદ આવો નિર્ણય કરે છે કે “હું આ બાળકને મારીશ તો નહીં, પણ હું જ ગુપ્ત રીતે એનું પાલન-પોષણ અને રક્ષણ કરીશ.’ વિચારવા જેવું આ છે કે આ એ જલ્લાદ છે જેના દિલમાં દયાનો છાંટો મેં ક્યારેય પેદા થયો નથી. કોઈક એને કહે કે “અલ્યા ! માણસ મારવાના ધંધા કરે છે? તારે મારીને ક્યાં જવું છે?' ત્યારે ભારે નાસ્તિકતાને ઘોષિત કરતા એ કહેતો કે “પુણ્ય-પાપ-પરલોક હું કશું માનતો નથી.' આવા નિર્દય-નાસ્તિક જલ્લાદને દયાળુ અને આસ્તિક કોણ બનાવી રહ્યું છે ?
કર્મસત્તાની અમાપ શક્તિઓને સમજવા જેવી છે. એ કહી રહી છે કે હું ભલભલા નિર્દયને દયાળુ બનાવી શકુ છું. ઘોર નાસ્તિકને આસ્તિક બનાવી શકું છું. ભક્ષકને રક્ષક બનાવી શકું છું. એ તો જાણે કે કહે છે મારે દીર્ઘઆયુષ્યની બક્ષિસ આપવાની હોય તો હું શું ન કરી શકું ? ઈ.સ. ૨૦૦૬ ના જુલાઈ મહિનામાં કુરુક્ષેત્રમાં એક ગરીબ મજુરનું ૬ વર્ષનું બાળક નામે પ્રિન્સ ૬૦ ફૂટ ઊંડા બોરમાં પડી ગયું. એટલો સાંકડો બોર કે જેથી કોઈ સાધન અંદર નાખી બાળકને ઉપાડી લેવું શક્ય જ નહોતું. આ કોઈ પ્રધાનનું, મોટા ઉદ્યોગપતિનું કે લશ્કરી અફસરનું બાળક નહોતું. એક ગરીબ મજુરનું બાળક. આજે ગરીબોની -મજુરોની દેશમાં શું કિંમત છે ? પાંચ-પચ્ચીસ મરી જાય તો પણ કોઈ દેશનેતાના પેટનું પાણી હાલે એમ છે? ભોપાલ ગેસદુર્ઘટના કેસનો વિચિત્ર ચુકાદો આનું પ્રમાણ નથી? આવી વિષમ પરિસ્થિતિમાં રહેલા બાળકને કોણ બચાવે ? પણ કુદરત કોનું નામ ! એ બાળકને જાણે કે કહી રહી છે. હું તારી સેવામાં ઈન્ડિયન આમીને ઉતારીશ. એક અપૂર્વ ઓપરેશન હાથ ધરાવીશ. કરોડો ટી.વી. દર્શકો પાસે તારા માટે પ્રભુને પ્રાર્થના કરાવીશ.” આર્મીના આ મિશન દ્વારા નજદીકના ૪૫ ફૂટ ઊંડા કૂવાને ૬૦ ફૂટ સુધી ખોદીને ૬૦ ફૂટ નીચે જમીનમાં કૂવાથી બોર સુધીનો માર્ગ કરીને બાળકને ઉગારવામાં આવ્યું. ૫૦ કલાકે બાળક બહાર આવ્યું. - હમણાં ઈ.સ. ૨૦૧૦માં ચીલીમાં ખાણમાં ધરતીથી બે હજાર ફૂટ ઊંડે ફસાઈ ગયેલા ૩૩ ખાણિયા કામદારો ! ચીલી દેશે ને આખી દુનિયાએ જ નહીં, ખુદ એ કામદારોએ પણ પ્રારંભે બચવાની આશા છોડી દીધેલી. પણ કર્મસત્તા જીવાડવા માગતી હતી. એક કલ્પનાતીત અભૂતપૂર્વ ઓપરેશન દ્વારા સીતેર દિવસે બધાને ધરતી પર સૂરજના દર્શન થયા.
૨૭
જેલર. www.jamelibrary.org
Jain Education International
For Personal & Private Use Only