________________
પ્રભુ મહાવીરનાં કાનમાં ખીલા ઠોકાયા, કારણકે (૧) પ્રથમ વિકલ્પ - પ્રભુ મહાવીરનાં કર્મો દુષ્ટ હતાં. (૨) બીજો વિકલ્પ - ખીલા મારનારો ગોવાળિયો દુષ્ટ હતો. કયો વિકલ્પ સાચો ? કૌન બનેગા કરોડપતિ આ ગેમ શોમાં અમિતાભ કરોડ પતિ બની ગયો. ચેનલવાળા કરોડપતિ બની ગયા. તમારામાંથી કેટલા બન્યા ? આ વિશ્વમાં કુદરતનો પણ એક ગેમ શો ચાલે છે. આવા પ્રશ્ન એના તરફથી આવતા હોય છે. સાચા જવાબના કરોડ રૂપિયા જ નહીં. આપણી કલ્પના બહારનું ઈનામ આ કુદરત આપણને આપે છે. ચાલો જવાબ આપવાનો છે. પ્રભુ મહાવીરનાં કાનમાં ખીલા ઠોકાયા, કારણકે (૧) પ્રથમ વિકલ્પ - પ્રભુ મહાવીરનાં કર્મો દુષ્ટ હતા. (૨) બીજો વિકલ્પ - ખલા મારનારો ગોવાળિયો દુષ્ટ હતો.
પ્રથમ વિકલ્પ, કર્મો દુષ્ટ હતા.' બધાનો આ જવાબ છે ? હા” લોક કિયા જાય?
હા”
તમારો આ જવાબ બિલકુલ સાચો છે. પણ હવે, તમારા જીવનને સ્પર્શતો પ્રશ્ન પૂછવાનો છે. તમારી વહાલસોયી દીકરીના લગ્ન થયા. બાર મહિના પછી ચાર દિવસ માટે તમારે ત્યાં આવી છે ને એણે પોતાની સાસુની ફરિયાદો કરવાનું ચાલુ કર્યું.
આ દુનિયામાં સાસુ એક એવું પાત્ર છે જેના માટે કહેવાય છે – જે રોજ પડાવે આંસુ એનું નામ સાસુ. જ્યારે વ્યાખ્યાનમાં હું આ વાત કરું ત્યારે સાસુઓ આનો વિરોધ કરે છે. “સાહેબ ! હવે તો ઉંધું છે.” એટલે હવે વ્યાખ્યા બદલીએ - જે રોજ પાડે આંસુ એનું નામ સાસુ. બરાબર ?
બરાબર.' તો પછી બહેનોને એક પ્રશ્ન : તમારે રોજ આંસુ પાડવા છે?
તો સાસુ બનતા નહીં.” પણ સાહેબ દીકરો હોય તો ?'
તો અમને સોંપી દેજો. કજિયાના મૂળરૂપ “સાસુ” પદને પામવા કરતાં “રત્નકુલિ માતા પદને પામવાનું સૌભાગ્ય લાખ દરજે સારું છે, ગૌરવપ્રદ છે
Jain Education International
[ જેલર, om
For Personal & Private Use Only