________________
પણ, દિમાગમાં બેસતી એવી પણ પત્નીની વાતને પતિ દિલમાં બેસાડી ન શક્યો અને તેથી એના નસીબમાં તો સંક્લેશ-અશાંતિ જ લખાયેલા રહ્યા. એવામાં એક દિવસ બહારથી ક્યાંકથી થોડી મિઠાઈઓ આવી. માએ સારી સારી મિઠાઈ નાના દીકરા-વહુને આપવા માંડી, સાદી મોટીને. મોટા દીકરાથી આ ન સહેવાયું. એ બોલી ઊઠ્યો: “મા! આવો પક્ષપાત હું ઘણા વખતથી જોઉં છું. જો તારે આવું જ કરવું હોય તો અમે જુદા થઈ જઈએ.” આ સાંભળીને મોટી વહુ કહે છે: અરર! આ શું બોલ્યા? જે માએ નવ-નવ મહિના પેટમાં રાખ્યા, મોટા કર્યા, ભણાવ્યા-ગણાવ્યા ને સંસ્કાર આપ્યા, એનાથી છૂટા પડવાની વાત? . આવો વિચાર પણ ના કરાય.
પત્નીની આ વાત સાંભળીને પતિ વિચારમાં ચઢી ગયો. રીતસર મજુરી લાગે એટલે એવું કામ કર્યા પછી પણ પત્નીને માની પ્રશંસા તો નહીં, પણ કંઈક ને કંઈક આક્રોશ જ વેઠવો પડતો. જ્યારે નાની વહુ રાણીની જેમ રહેવા છતાં મા એની વાહ-વાહ કરતાં થાકતી નહીં. આવું બધું વારંવાર થતું હોવા છતાં પત્નીની સ્વસ્થતા, કામ પ્રત્યેની લગન ને મા પ્રત્યેની ભક્તિ એવી ને એવી અક્ષત જોઈને પતિ ઘણીવાર પૂછતો કે “તું કેમ આ બધું સહન કરે છે?” ત્યારે પત્ની કહેતી કે હું ક્યાં સહન કરું છું? મારા માટે આ બધું સહજ છે, કારણકે હું એજસ્ટ થઈ ગઈ છું.
‘તે તારે જ એજસ્ટ થવાનું? માએ નહીં થવાનું?” મા તો મા છે. આપણે જ એમને અનુકુળ થવાનું હોય ને!'
આ બહુ સમજવાની વાત છે. આંખે ચશ્માને અનુરૂપ થવાનું હોતું નથી. ચશ્માએ આંખને અનુરૂપ થવાનું હોય છે, કારણકે (૧) આંખ પહેલેથી હોય છે, ચશ્મા પછી આવે છે. (૨) પસંદગી આંખની નથી હોતી, ચશ્માની હોય છે, બસ આ જ રીતે (૧) માં પહેલેથી હોય છે, પત્નીનો પ્રવેશ જીવનમાં પછીથી થાય છે. (૨) પસંદગી માની નથી હોતી, પત્નીની હોય છે. અને એટલે જ પસંદ થયેલી પત્ની માને અનુરૂપ હોવી જોઈએ. અર્થાત્ પત્નીએ માને અનુરૂપ થવાનું હોય, માએ પત્નીને નહીં. અસ્તુ.
પત્ની સ્વસ્થ છે, કારણકે માની ભૂલ જોતી નથી અને દરેક પરિસ્થિતિમાં મારે એન્જસ્ટ થઈ જવું.' આ સોનેરી સૂત્રને જીવતા શીખી ગઈ છે. પતિ અસ્વસ્થ થઈ જાય છે, અકળાઈ જાય છે ને તેથી જુદા થઈ જવાની વાત કરી રહ્યો છે, કારણકે માની ભૂલ જોઈ રહ્યો છે. સ્વંય એજસ્ટ થતાં શીખ્યો નથી. જ્ઞાનીઓ
Jain Education International
For Personal & Private Use Only
( જેલર brary.org