________________
ફેશનના નામે વપરાતો બંધ ડબ્બાઓનો આ ઝરીલો આહાર
NA WANAN
આધુનિક અને સંસ્કારી કહેવાતા સમાજમાં બંધ ડબ્બાના ફળના રસો અને અન્ય પદાર્થોની પ્રથા જોરશોરથી વધી રહી છે. ફેશનના નામે પ્રચલિત કહેવાતા આ પદાર્થો રંગીન અને આકર્ષક તો હોય છે. પરંતુ તે આપણી તંદુરસ્તીને માટે નુકશાનકારક છે, કારણ કે તે બંધ ડબ્બાના રસો કે પીણાઓવાળા પદાર્થોમાં બેજાઈક એસિડ રહેલું હોય છે. જેના થોડાક પણ સ્પર્શથી આંખો, આંતરડાઓ અને ચામડી પર ફોલ્લા પડી જાય છે. અરે ! બંધ ડબ્બાના ફળોના રસોમાં એક બીજો ઝેરીલો પદાર્થ યાને એસિડનો ભાગ રહેલો હોય છે. જેને સોડિયમ બેજાઈક કહેવામાં આવે છે. તે પદાર્થ એટલો ઝેરી હોય છે કે જે કોઈ કૂતરો તેનું બે ગ્રામ એસિડ ખાઈ જાય તો તે તરત મરી જશે. તે રસાયણોનો પ્રયોગ રસો અને પદાર્થોને તાજા રાખવા માટે તથા ખરાબ થતા બચાવવા માટે કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે વિદેશી બજારોમાં વર્ષો સુધી જેનું વેચાણ થઇ શકતું નથી એવા દૂધના પાઉડરો કે ફળોના રસના ડબ્બાઓ ગરીબ દેશોને ભેટ તરીકે મોકલી દેવામાં આવે છે. વાસ્તવમાં તે ખરેખર ઝેરના પાર્સલો જ છે. | મોટા ભાગના બંધ ડબ્બાઓના ફળના રસોમાં કર્ફેકશનરી, જામજેલી, માર્જરીન જેવા બેજામ એસિડનું મિશ્રણ કરવામાં આવે છે. તે રસાયણોમાં પણ ખાસ કરીને મેગ્નેશ્યમ કલોરાઈડ એલમ તથા કેશ્યિમ સાઈટ્રેડનું મિશ્રણ કરવામાં આવે છે. જે સ્વાથ્યને માટે ખૂબજ નુકશાનકારક છે.
WITH
C
VITAE
| વિવિધ રસોના મિશ્રણનો ઉપયોગ આ પીણા પદાર્થોમાં થાય છે.
- તે મિશ્રણવાળા રસાયણોને કારણે જે લોકો બંધ ડબ્બાનાં રસો કે પદાર્થોનું વધારે પડતું સેવન કરે છે તેમના આંતરડાઓમાં ઘા પડી જાય છે. કીડની પણ નુકશાન પામે છે. પેઢાઓ પર સોજો આવી જાય છે. બંધ ડબ્બાના લીલા વટાણા લીલા રાખવા માટે તેમાં મેગ્નેશ્યિમ ક્લોરાઈડનું મિશ્રણ કરવામાં આવે છે. બંધ ડબ્બાઓમાં મકાઈના દાણાઓને લીલા રાખવા માટે સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરીલા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. એરીથ્રોસિન નામનું રસાયણ ફળોનું કોકટેલ તૈયાર કરવામાં વપરાય છે. તે ઝેરીલું રસાયણ કીડનીને માટે ખૂબજ નુકશાનકારક સાબિત થાય છે.
HI WARRIOMANIA VIA VILA
Baygon
HEXIT