SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ કરનારાઓની શ્રેણીવિશેષ છે. તેમાં એક પ્રકારની એકતા હોય છે અને બધો સ્થૂળ વ્યવહાર એકસરખો ચાલે છે. આ નિગમ'નો ભાવ લઈને તેના ઉપરથી નૈગમ શબ્દ દ્વારા જૈન પરંપરાએ એક એવી દૃષ્ટિનું સૂચન કર્યું છે જે સમાજમાં સ્થૂળ હોય છે અને જેના આધારે જીવનવ્યવહાર ચાલ છે. નૈગમ પછી સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમૃભિરૂઢ અને એવંભૂત એ છ શબ્દો દ્વારા છ આંશિક વિચારસરણીઓનું સૂચન આવે છે.' મારા મતે ઉક્ત છ દષ્ટિઓ જો કે તત્ત્વજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે છતાં તે દૃષ્ટિઓ મૂલતઃ તે સમયના રાજયવ્યવહાર અને સામાજિક વ્યવહારના આધારે ફલિત કરવામાં આવી છે. એટલું જ નહિ પણ સંગ્રહ વ્યવહાર આદિ ઉપર જણાવેલા શબ્દો પણ તત્કાલીન ભાષાપ્રયોગોમાંથી લીધા છે. અનેક ગણ મળીને રાજયવ્યવસ્થા યા સમાજવ્યવસ્થા કરતા હતા જે એક પ્રકારનો સમુદાય યા સંગ્રહ બનતો હતો અને જેમાં ભેદમાં અભેદની દૃષ્ટિનું પ્રાધાન્ય રહેતું હતું. તત્ત્વજ્ઞાનના સંગ્રહનયના અર્થમાં પણ આ જ ભાવ છે. વ્યવહાર રાજકીય હો કે સામાજિક હો તે જુદી જુદી વ્યક્તિઓ કે જુદાં જુદાં દળોના દ્વારા જ સિદ્ધ થતો હતો. તત્ત્વજ્ઞાનના વ્યવહારનયમાં પણ ભેદ અર્થાત્ વિભાજનનો જ ભાવ મુખ્ય છે. આપણે વૈશાલીમાંથી મળેલા સિક્કાઓ ઉપરથી જાણીએ છીએ કે વ્યાવહારિક અને ‘વિનિશ્ચય મહામાત્યની જેમ “સૂત્રધાર’ પણ એક પદ હતું. મારા માનવા પ્રમાણે સૂત્રધારનું કામ તે જ હોવું જોઈએ જે જૈન તત્ત્વજ્ઞાનના ઋજુસૂત્રનયથી લક્ષિત થાય છે. ઋજુસૂત્રનયનો અર્થ છે – આગળપાછળની ગલીકૂચીમાં ગયા વિના કેવળ વર્તમાનનો જ વિચાર કરવો. સંભવ છે કે સૂત્રધારનું કામ પણ આવું જ કંઈક રહ્યું હશે જે ઉપસ્થિત સમસ્યાઓનો ઝટ નિકાલ કરે. દરેક સમાજમાં, સંપ્રદાયમાં અને રાજ્યમાં પણ પ્રસંગવિશેષ ઉપર શબ્દ અર્થાત્ આજ્ઞાને જ પ્રાધાન્ય આપવું પડે છે. જયારે બીજી કોઈ પણ રીતે મામલો ઉકલતો ન હોય ત્યારે કોઈ એકનો શબ્દ જ અન્તિમ પ્રમાણ મનાય છે. શબ્દના આ પ્રાધાન્યનો ભાવ અન્ય રૂપમાં શબ્દનયમાં ગર્ભિત છે. ખુદ બુદ્ધે જ કહ્યું છે કે લિચ્છવીગણ પુરાણા રીતિરિવાજો અર્થાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005646
Book TitleBharatni Yogvidya ane Jivan ma Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy