________________
૧૧૨
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ધર્મપરંપરાઓની સંસ્કૃતિ અને વિદ્યાસંપત્તિને સહન કરવું પડ્યું. સોમનાથ, રુદ્રમહાલય અને ઉજ્જયિનીના મહાકાલ તથા કાશી આદિના વૈષ્ણવ, શૈવ આદિ ધામ ઇત્યાદિ પર જયારે સંકટ આવ્યાં ત્યારે જો અન્ય પરંપરાઓએ પ્રાણાર્પણ કરીને પૂરો સાથ આપ્યો હોત તો તે ધામો બચી જાત. ન બચત તો પણ બધી પરંપરાઓની એકતાએ વિરોધીઓનો ઉત્સાહ જરૂર મન્દ કરી દીધો હોત. સારનાથ, નાલન્દા, ઉદન્તપુરી, વિક્રમશિલા આદિના વિદ્યાવિહારોને બખ્રિયાર ખિલજી કદી ધ્વસ્ત ન કરી શક્યો હોત જો તે સમયે બૌદ્ધતર પરંપરાઓએ તે આફતને પોતાની સમજી હોત. પાટણ, તારંગા, સાંચોર, આબૂ, ઝાલોર આદિનાં શિલ્પ સ્થાપત્યપ્રધાન જૈન મંદિરો પણ કદી નાશ ન પામત. હવે સમય બદલાઈ ગયો છે અને આપણે પુરાણી ત્રુટિઓમાંથી પાઠ શીખવો જોઈશે.
સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થાનોની સાથે સાથે અનેક જ્ઞાનભંડારો પણ નાશ પામ્યા. આપણી ધર્મપરંપરાઓની પુરાણી દષ્ટિ બદલવી હોય તો આપણે નીચે જણાવ્યા અનુસાર કામ કરવું જોઈશે.
(૧) પ્રત્યેક ધર્મપરંપરાએ બીજી ધર્મપરંપરાઓનો તેટલો જ આદર કરવો જોઈએ જેટલો આદર તે પોતાની બાબતમાં ઇચ્છતી હોય.
(૨) આના માટે ગુરુવર્ગ અને પંડિતવર્ગ બધાએ પરસ્પર મિલનના પ્રસંગો ઊભા કરવા અને ઉદારષ્ટિ વિચારવિનિમય કરવો. જયાં ઐકમય ન હોય ત્યાં વિવાદમાં પડ્યા વિના સહિષ્ણુતાની વૃદ્ધિ કરવી. ધાર્મિક અને સાંસ્કૃતિક અધ્યયન-અધ્યાપનની પરંપરાઓને એટલી તો વિકસિત કરવી કે જેમાં કોઈ એક ધર્મપરંપરાનો અનુયાયી અન્ય ધર્મપરંપરાઓની વાતોથી સર્વથા અનભિજ્ઞ ન રહે અને તેમનાં મન્તવ્યોને ખોટી રીતે ન સમજે.
આના માટે અનેક વિશ્વવિદ્યાલય મહાવિદ્યાલય જેવાં શિક્ષાકેન્દ્રો બન્યાં છે જ્યાં ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ ધર્મપરંપરાઓનું શિક્ષણ આપવામાં આવે છે. આમ છતાં આપણા દેશમાં એવા સેંકડો નહિ હજારો નાનામોટા વિદ્યાધામો, પાઠશાળાઓ આદિ છે જયાં કેવળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org