________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ શક્તિશાળી યા ગતિશીલ છે. હવે આપણે વિચારો કે જો શરીર અને મનની ગતિ દોષો ભણી જતી અટકી જાય, ચેતનાનું સામર્થ્ય દોષો ભણી ગતિ કરતું રોકાય તો તેમની ગતિદિશા કઈ રહેશે ? તે સામર્થ્ય કદી નિષ્ક્રિય કે ગતિશૂન્ય તો રહેશે જ નહિ. જો તે સદાસ્કુરતા સામર્થ્યને કોઈ મહાન ઉદ્દેશ્યની સાધનામાં લગાવવામાં ન આવે તો પછી તે ઊર્ધ્વગામી યોગ્ય દિશા ન પામીને પુરાણા વાસનામય અધોગામી જીવન ભણી જ ગતિ કરશે. એ તો સર્વસાધારણ અનુભવ છે કે જ્યારે શુભ ભાવના રાખવા છતાં પણ કંઈ જ ન કરીએ ત્યારે છેવટે અશુભ માર્ગ ઉપર જ જઈ પડીએ છીએ. બૌદ્ધ, સાંખ્ય-યોગ આદિ બધી નિવૃત્તિગામી કહેવાતી ધર્મપરંપરાઓનો પણ આ જ ભાવ છે જે જૈન પરંપરાનો છે. જયારે ગીતાએ કર્મયોગ યા પ્રવૃત્તિમાર્ગ પર ભાર દીધો ત્યારે વસ્તુતઃ અનાસક્ત ભાવ પર જ ભાર દીધો છે.
નિવૃત્તિ પ્રવૃત્તિની પૂરક છે અને પ્રવૃત્તિ નિવૃત્તિની પૂરક છે. તે બે તો જીવનના સિક્કાની બે બાજુઓ છે. પૂરકનો એ અર્થ નથી કે એકના પછી બીજી થાય, બન્ને સાથે ન થાય, જેમ કે જાગૃતિ અને નિદ્રા. પરંતુ એનો યથાર્થ ભાવ એ છે કે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એક સાથે ચાલતી રહે છે ભલે કોઈ એક અંશ પ્રધાન દેખાય. મનમાં દોષોની પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં પણ અનેક વાર સ્થૂળ જીવનમાં નિવૃત્તિ દેખાતી હોય છે જે વાસ્તવમાં નિવૃત્તિ નથી. તેવી જ રીતે અનેક વાર મનમાં વાસનાઓનો વિશેષ દબાવ ન હોવા છતાં પણ સ્થળ જીવનમાં કલ્યાણવડ પ્રવૃત્તિનો અભાવ પણ દેખાય છે જે વાસ્તવમાં નિવૃત્તિનો જ ઘાતક સિદ્ધ થાય છે. તેથી આપણે સમજી લેવું જોઈએ કે દોષનિવૃત્તિ અને સદ્ગુણપ્રવૃત્તિનો કોઈ વિરોધ નથી, ઊલટું બન્નેનું સાહચર્ય જ ધાર્મિક જીવનની આવશ્યક શરત છે. વિરોધ છે તો દોષોથી નિવૃત્ત થવું અને દોષોમાં પ્રવૃત્ત થવું એ બેની વચ્ચે છે. તેવી જ રીતે, સગુણોમાં જ પ્રવૃત્તિ કરવી અને તેમનાથી જ નિવૃત્ત પણ થવું એમાં પણ વિરોધ છે.
અસતનિવૃત્તિ અને સત્યવૃત્તિનો પરસ્પર કેવો પોષ્યપોષક સંબંધ છે એ પણ વિચારવાની વસ્તુ છે. જે હિંસા અને મૃષાવાદથી થોડાઘણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org