________________
હોય ને કઈ કોટિના હોય, તે પણ વિચારવું પડશે. રાગી કે દ્વેષી હોય તે ચાલશે? નહિ જ. નહિ રાગી, નહિ દ્વેષી કે નહિ મોહી, પણ જે પરમ શુદ્ધ બની ચૂકેલા વીતરાગ, કોઈ પણ પદાર્થ પ્રત્યે મમતા ન રહી હોય એવા ! આજ્ઞા માનવાની તે આવા નિર્મળ, સ્વચ્છ, ડાઘ વિનાના અરીસા જેવાની ! એને આપણે દેવ કહીએ છીએ. જેને જોવાથી આપણને આપણા દોષ દેખાય ! જેની સામે દેખવાથી આપણા દોષોનું ભાન થાય ! !
ભગવાનની મૂર્તિમાંથી પણ આજ્ઞા નીકળે છે. રોજ સવારના પહોરમાં ઈશ્વર પાસે એ જ કામ માટે જવાનું છે. સ્વચ્છ અને નિર્મળ અરીસા સમા ભગવાન સન્મુખ ઊભા રહી. પોતાના ડાઘ જોવા માટે અને જોતાંની સાથે એ ડાઘ કાઢવા માટે એમણે કહ્યું તે કરવાનું ! પણ જો કદી અરીસામાં ડાઘ હશે તો પંચાત થઈ જશે. માટે પહેલાં તે સ્વચ્છ છે કે કેમ એ સંભાળજો! માટે જ ઉપકારી મહાપુરુષો કહે છે કે, ‘તેની જ આજ્ઞા માનજો કે જેનામાં દોષનો છાંટો ન હોય અને જે ગુણથી પરિપૂર્ણ હોય.’ એવા અરિહંત વીતરાગદેવો છે.
એમણે જગતના કલ્યાણની ખાતર જે આજ્ઞા કરી છે તેનું યથાર્થ પાલન કરજો ! પાલન ન થાય એટલી ત્રુટિ માનજો ! એ ત્રુટી પૂરવા પ્રયત્નશીલ રહેજો ! એમની આજ્ઞા કઈ ? પાપની કરણી, વિષયકષાયને પોષનારી કરણી, દુનિયાના તુચ્છ પદાર્થોને આધીન બનાવી ઉન્મત્ત બનાવનાર કરણી, પોતાની નહિ તેવી વસ્તુ મેળવવા માટે પાગલ બનાવનારી કરણી, એનો ત્યાગ કરવો એ જ એક એ મહાપુરુષોની આજ્ઞા છે. એ આજ્ઞાથી ઘડાયેલું વચન. એનું જ નામ ધર્મ છે. એનાથી વિરુદ્ધ વર્તાય એટલો અધર્મ માનજો ! દેવ ને ગુરુની પિછાન :
હવે મંદિરમાં દેવમૂર્તિ પાસે જઈ શું જોશો ? એ તો નિર્મળ છે. એમાં દોષ એક પણ નથી. જે એની પાસે નથી તે આપણી પાસે છે, માટે એ બધા દોષ છે એ નક્કી કરજો ! એની પાસે શું શું નથી ? ઘરબાર, કુટુંબપરિવાર, લાડી, વાડી, ગાડી કાંઈ નથી. જે ઘડી આ બધું દોષરૂપ ભાસ્યું, એ ઘડી એમની આજ્ઞાનું રહસ્ય સમજાયા વિના રહેશે નહિ. ( ધર્મનું રહસ્ય
ક ૧૭
*
**
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org