SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) તે બુરિમાન પુરુષના જ્ઞાનમય તેજનું માતાની જેમ જતન, પરિપાલન અને વિશાધન કરનારી હોવાથી માતૃકા કહેવાય છે. () માતૃકા આત્માની પરમ તિ છે. (૫) બારાક્ષરીના અ થી હ સુધી ૪૯ અક્ષરેનું ચોગશાસ્ત્રમાં બતાવેલ આવું ધ્યાન કરનાર સાધક શ્રુતજ્ઞાનને પારગામી થાય છે. આ ૪૯ અારો Raw Materialખાણમાં રહેલા કાચા હીરાના સ્થાને છે અને જિનાગમ Polished-તેયાર હીરા સમાન છે. આ ૪૯ અરેના ધ્યાનમાં તન્મય બનનાર સાધકને સકલ આગમમાં રહેલાં રહસ્ય, હાથમાં રહેલ આમળાની જેમ સ્પષ્ટ અનુભવમાં આવે છે. (૬) કોઈપણ શબ્દ અગર ભાષા ૯ અક્ષરોમાંથી બને છે. જિનેશ્વર ભગવંતની વાણી ૪૯ અક્ષરમાંથી ગૂંથાય છે. ગણધર ભગવતે દ્વાદશાંગીની રચના ૪૯ અક્ષશિના જુદી જુદી રીતે સંકલન દ્વારા કરે છે. જગતને સર્વ લોકિક અને લોકોત્તર વ્યવહાર ચલાવનારી મહાશક્તિ તે આ ૪૯ અક્ષરારૂપ વર્ણમાલા છે. તેનું ધ્યાન કરનારને અપ્રતિમ વાણીને પ્રવાહ મળે છે. (Influent Flow) વર્ણમાલાનું ધ્યાન કરનારને કાંઈ પણ કહેવું હોય તે શબ્દ શોધ પડતું નથી. શાને તેની પાછળ દોડતા આવવું પડે છે. એક હજાર વક્તત્વની કળા (Art of Speaking) ના પુરતક વાંચવાથી જે વક્તત્વ કળા માટેનું જ્ઞાન મળે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy