________________
-: શાશ્વત ગિરિ મહિમા :
ચારણ કહે તુમ દરિશણે, મુજને હુઓ બહુ પ્રેમ.
આ રીતે તે ચારણની બહુ પ્રકારની સ્તુતિ સાંભળી કુમારપાળ રાજાએ ખુશી થઇને તે ચારણને પણ નવ લાખ ટકાનું દાન દીધું અને ઉત્તમ કપડાં વિગેરેની પહેરામણી કરી સંતુષ્ટ કર્યો.
હવે સકળ સંઘ અને હેમસૂરિ મહારાજ સહિત સંઘપતિ કુમારપાળ શ્રી શત્રુંજયની પાંચમી ટુંક જે ગઢગિરનારના નામથી સુપ્રસિદ્ધ છે ત્યાં જવા માટે પાલીતાણા નગરથી નીકળ્યા. રસ્તામાં ગામેગામ શ્રી
જિનેશ્વરદેવને જુહારતાં અનુક્રમે ગિરનારજી પહોંચ્યા અને ગિરિવરને નિહાળતાં જ મોતીના થાળ ભરી ભરીને વધાવવા લાગ્યા. પછી સકળ સંઘ સહિત સંઘપતિ કુમારપાળ અને ગુરૂ શ્રી હેમસૂરીંદ્ર વિગેરેએ ગિરનાર તીર્થ ઉપર ચડવું શરૂ કર્યું. તે સમયે તે પર્વત સહેજ ચલાયમાન થયો. અહિં કવિ ઋષભદાસ ઘટના કરતા જણાવે છે કે “શ્રી ગિરનાર પર્વત ઉપર આજે આવા ઉત્તમ પુન્યશાળી પુરૂષનાં પગલાં પોતાની ઉપર પડવાથી પાવન થયાના હર્ષના આવેશમાં આવી જઇને નાચ્યા કરે છે. ખરેખર જ્યાં મહાન પુરૂષનો અવતાર થાય તે નગરને પણ ધન્ય છે, તેમજ આવા પર્વતને પણ ધન્ય છે
Jain Education International
૩૯
For Personal & Private Use Only
www.jainelibrary.org