________________
પૂિરક નિયમો ધર્મના સોગંદ ખાવા નહિ. સ્વપ્રસંશા અને પરનિંદા ન કરવી. મૂળથી જ ન હોય તેવું મોટું અને હડહડતું જુઠું બોલવું નહિ. પર-પીડાકર વચન સત્ય હોય તો પણ હાંસી કે આક્રોશ વગેરેથી પણ ન બોલાય તેનો ઉપયોગ રાખવો. ધર્મના વિષયમાં કે સિદ્ધાંતની વાતમાં ન જાણતા હોય તો મૌન રહેવું. પરંતુ અસત્ય પ્રતિપાદન કરવું નહિ કે સત્યનું ખંડન કરવું નહિ. હંમેશાં આગમાનુસારી વચનો બોલવાનો ઉપયોગ રાખવો. ઇત્યાદિ.
( જયણા ) અજાણપણાથી, પરાધીનતાથી, આજીવિકા સંબંધથી, ચાડી ચુગલી કરનારથી, ઘર પ્રસંગાદિ કારણથી અને સ્વ-પર રક્ષણ હેતુથી જવું બોલાય તેની તથા માલિકના અભાવે થાપણનો ઉપયોગ કરવાની યોગ્ય. જયણા કરવી.
ધ્યેય ] ક્રોધ, લોભ, ભય વગેરેથી પણ જુઠું ન બોલવાનું ધ્યેય રાખવું. પ્રિય, હિતકર, સત્ય અને તે પણ અલ્પ વચન પ્રયોજન હોય તો સમજી-વિચારીને બોલવું, અન્યથા દ્રવ્ય અને ભાવથી મૌન કેળવવું. બાહ્ય વસ્તુઓમાં જેમ ઓછું બોલાય તેમ સત્યની વધારે રક્ષા છે.
અતિચારો ] ૧. સહસાકાર - વિના વિચારે, ઉતાવળા થઇ, કોઇના ઉપર “આ
ચોર છે.' ઇત્યાદિ અસદ્દોષારોપ મૂકવા તે અથવા સાકાર અભ્યાખ્યાન-આકાર વિશેષથી જાણેલ ખાનગી અભિપ્રાય પ્રગટ કરવો તે. રહસ્યભાષણ - કોઇની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી તે, ચાડી ખાવી તે અને સ્ત્રી-પુરુષ કે અન્યની હાંસી -મશ્કરીમાં કાના ભંભેરણી કરવી તે. વિશ્વસ્તમંત્રભેદ - પોતાની સ્ત્રી વગેરે વિશ્વાસુની કરેલી વાત પ્રગટ કરવી તે. મૃષાઉપદેશ - ધર્મના નામે જુઠો ઉપદેશ, ખોટી સલાહ, અજ્ઞાત છે
૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org