SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જયણા વ્યાપારમાં તથા ઘરકામમાં થતાં આરંભ-સમારંભતેમજ ઔષધાદિ પ્રયોગ અને શરીરાદિ કારણે થતી હિંસામાં પણ જયણા રાખીશ. ધ્યેય ભગવાને પૃથ્વી, પાણી, વગેરેમાં પણ જીવ કહ્યા છે. શ્રદ્ધાપૂર્વક સૌ જીવો ઉપર કરુણા રાખવી. અપરાધીનું પણ ખરાબ ન ચિતવવું. શ્રાવકની અહિંસા-દયાનું ક્ષેત્ર સવા વસા-એક આની છે, જયારે સંપૂર્ણ અહિંસક-ષટ્નવનિકાયરક્ષક સાધુ-મુનિરાજની દયા વીસ વસા-સોળે સોળ આની છે. ગૃહસ્થે હંમેશાં તે જીવન પામવાનું ધ્યેય રાખવું અને હિંસાથી બચાય તેટલું બચવું. સત્યવ્રત વગેરે વ્રતો પણ અહિંસાની વાડ સમાન હોવાથી અહિંસા સાચવવા માટે જ પાળવાનાં છે. અતિચાર ૧. વધુ - ક્રોધ કરીને માણસ, કૂતરા, ગાય, ઘોડા પ્રમુખ જાનવરો આદિને નિર્દયતાથી મારવા તે. બંધ - માણસ, ગાય, બળદ, જાનવરોને સખ્ત-ગાઢ બંધનથી બાંધવા તે. ૨. 3. ૪. અતિભારરોપણ - મનુષ્ય, બળદ વગેરે ઉપર શક્તિ ઉપરાંતનો ભાર મૂકવો તે. ભાત-પાણીનો વિચ્છેદ - મનુષ્ય, બળદ આદિના આહાર પાણીનો નિષેધ કરવો તે. આ પાંચ અતિચારો છે. તે ક્રોધ-લોભ-હાંસી કે શોખ વગેરેથી પણ ન કરાય તેનું ખાસ ધ્યાન રાખવું. વિશેષ નોંધ છવિચ્છેદ- માણસ, બળદ વગેરેના નાક, કાન, પૂચ્છ વગેરે શરીરભાગ કાપવાં તે. ૫. Jain Education International 19 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy