________________
૭૪
જ્ઞાની ભકતની પ્રતિભા દેહધારીને માટે અઘરી છે: શ્રીમ સાધના-પ્રકાર આ કઠણ રહે. હતું. તેની વિભૂતિ, વૈરાગ્ય અને ચિંતન-મનન-ધ્યાન-નિદિધ્યાસનનો સતત તીવ્ર અભ્યાસ, એ છે. શ્રીમદે આ વસ્તુ જૈન દર્શનની પરંપરા અને પરિભાષામાં મુખ્યત્વે જાણી હતી, અને એના ક્રમની ગુણશ્રેણી તેમણે એમના પેલા પ્રખ્યાત ભજન “અપૂર્વ અવસર”માં વર્ણવી છે. આ ગુણશ્રેણી ચડી ચૂક્યા વિના ધર્મસુધારણાનું કાર્ય ન થઈ શકે – ન કરવું જોઈએ, એ શ્રીમન્નાં સમજ-સંકલ્પ ખરેખર સ્તુતિપાત્ર છે. આથી તે આ વિષે મૌન સેવીને તથા પોતાના નિકટના મિત્રોને પણ તેમ જ કરવાનું કહીને, પોતે ઉત્કટ ભાવે આ સાધનામાં પ્રથમ લાગે છે; અને તેમાં સિદ્ધિ મેળવ્યા ઉપર પેલું કાર્ય મોકૂફ રાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org