________________
વાંચતાં (ઈ.સ. ૧૯૨૨માં) મેં કવિશ્રીની તેમના ઉપરની અસર વિષે જાયું, અને મને થયું કે, એ પુરુષને પરિચય કાંઈક તે મેળવવા જોઈએ. ત્યારે એક મિત્રો મારા હાથમાં “શ્રીમદ્ રાજચંદ્ર'ને ગ્રંથ મૂક્યો. (આ સમયે હું બોરસદમાં રહેતો હતો, ત્યાં કવિના ભકતનું એક ધર્મકેન્દ્ર ચાલતું હતું, ત્યાંથી તેમના “અક્ષરદેહ'ને આ ગ્રંથ મને તે મિત્રો આપેલો.) અને મને યાદ છે તે પ્રમાણે, હું તેને ઠીક રીતે જોઈ ગયો. “ઠીક’ કહું છું એટલા માટે કે, તે વર્ષની મારાં વાચનની નોંધપોથી જોતાં એ ગ્રંથમાંનાં કેટલાંક ટાંચણ પણ તેમાં મને મળી આવ્યાં.”
ત્યાર પછી, શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી અંગે લેખ લખવાને આવતાં શ્રી. મગનભાઈએ (જુઓ આ પુસ્તક પરિશિષ્ટ -૨) જણાવ્યું છે કે, શ્રીમદ્ રાજચંદ્રની જાણ (ગાંધીજીની જગમશહૂર “આત્મકથા’ વાટે) જગતભરમાં ફેલાઈ હોવા છતાં, શ્રીમનાં જીવનકાર્ય તથા બોધ-વચને તેમ જ સાહિત્યનો ઘટતો અભ્યાસ થયો છે એમ ન કહી શકાય:ગુજરાતના સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક લોકજીવનના ઇતિહાસમાં કવિશ્રીનું ટૂંકું જીવન પણ એક અનોખું પ્રકરણ બની શકે એવું પ્રભાવશાળી અને મૌલિક હતું.. આપણા આવા મહાપુરુષોને અભ્યાસ આદરપૂર્વક થવો જોઈએ. તો જ નવ-ધર્મસંસ્કરણનું જે યુગપ્રવર્તક કાર્ય હવે આપણા સ્વતંત્ર રાષ્ટ્ર કરવાનું આવે છે, તે કરવામાં સાચી મદદ અને ધરતીના ધાવણ જેવું સચોટ પોષણદાયી સત્ત્વ મળે.'
અને શ્રી. મગનભાઈ દેસાઈ આટલું કહીને જ ભા ન હતા. તેમણે તે અગાઉ જ શ્રીમદ રાજચંદ્રનું એક મોટું અને અને અભ્યાસપૂર્ણ જીવનચરિત્ર લખવાના વિચારથી કામ આરંભી જ દીધું હતું. તે અર્થે તેમણે જોઈતી ઘણી સામગ્રી ખાસ કોશિશ કરીને ભેગી કરી હતી અને તેનો ઊંડા ઊતરી અભ્યાસ આરંભ્યો હતે. એ વસ્તુ તે તે પુસ્તકોમાં તેમણે મૂકેલી નોંધદર્શક કાપલીઓથી જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org