________________
મોક્ષમાળા” અને “ભાવનાબેધ” તિરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય-સાધનો શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રો પ્રકાશ્યાં છે, તેનો સ્વલ્પતાથી કિંચિત તત્ત્વસંચય કરી, તેમાં મહાપુરુષોનાં નાનાં નાનાં ચરિત્રો એકત્ર કરી, આ મોક્ષમાળાને વિભૂષિત કરી છે. તે “વિદગ્ધમુખમંડન’ ભવતુ.”
આમ ઉપઘાતમાં કહીને, આગળ પ્રાસ્તાવિક રૂપે તે ગ્રંથનું બીજ તથા પ્રયોજન આદિ નિરૂપતાં કહે છે, “આ એક સ્યાદવાદતવાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તવ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે. એ સમભાવથી કહું છું.”
“આ પુસ્તક ભણી, હું ધારું છું કે, સુજ્ઞ વર્ગ કટાક્ષ દૃષ્ટિથી નહીં જોશે. બહુ ઊંડાં ઊતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તરવજ્ઞાન અને શીલ બોધવાનો ઉદ્દેશ છે.
“આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ ઊછરતા બાળ યુવાનો અવિવેકી વિઘા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે, તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે.........”
બીજી એક જગાએ તેમણે આ ગ્રંથ વિષે એમ જણાવ્યું છે કે, મોક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી...” કુલ ૧૦૮ શિક્ષાપાઠ એમાં છે. “બાલાવબધ” માટે તેની કલ્પના હોઈ, તેની શૈલી પણ તેવી છે. આમ એક ગુઢ તત્ત્વ-વિષયને વિષે આટલી વયે શબ્દબદ્ધ નિરૂપણ કરવું, એ કવિશ્રીની અવધાન અને આકલન શક્તિને મહા નમૂન જ છે.
જીવનની સાધના કરવામાં તે માટે પ્રયત્ન સારાંશે બે ભાગમાં વિચારી શકાય-સમજબુદ્ધિમાં બેઠેલું તત્ત્વજ્ઞાન અને તદનુરૂપ સુશીલનું ચારિત્ર્યગઠન. તેમાંનું પહેલું અંગ (“જ્ઞાનયોગ-વ્યવસ્થિતિ” તેને કહી શકીએ.) આ ગ્રંથમાં ગૂંથ્યા પછી, તેને જીવનમાં ઉતારવાને માટે સંશુદ્ધિ કરવી ઘટે, તે અર્થે “ભાવનાબેધ” નામે ગ્રંથ પછીથી ૧૮ મા વર્ષમાં કવિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org