________________
જ્ઞાની ભક્તની પ્રતિભા - આ રીતે તેમણે પોતે પોતાની જીવન-વ્યવસ્થિતિ કરવા સતત. કેવો ઉગ્ર પ્રયત્ન કર્યો હતો, તે ઉપર મોતીને કિસ્સો સચોટ બતાવે છે. સામાન્ય ગૃહસ્થના વ્યવહારની તુલનાએ એમાં એક વિશેષતા હતી, અને તે એ કે, તેમનો વ્યવહારશુદ્ધિ-યત્ન કેવળ સુખભેગન કે સ્વર્ગકામનાને મર્યાદિત કામાર્થી ગૃહસ્થધર્મ નહોતો; તે “અપવર્ગ” કે મોક્ષની દૃષ્ટિવાળા જિજ્ઞાસુ ગૃહસ્થને યત્ન હતો. આ યત્નના સારરૂપ એવી એક માર્મિક નેધ, તેમની રોજનિશીમાં લખેલા એક લખાણમાં મળે છે. (શ્રી, ૧૨ પા. ૨૬૪); તે તેમના ૨૩મા વર્ષ દરમિયાનની (મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬) છે. તેમાં એ કહે છે
“જયારે આ વ્યવહારો પાધિ ગ્રહણ કરી, ત્યારે તે ગ્રહણ કરવાને, હેતુ આ હતો:–
“ભવિષ્ય કાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે. દુ:ખદાયક થાય, તોપણ થોડા વખતમાં ભેળવી લેવી એ વધારે શ્રેયસ્કર છે.
“એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું:-.
“ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસ પર ન આવે તે સારું
“ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત; ખચિત . કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુ:ખને સહન કરી, ક્રમની સાચવણીના. પરિસહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી નું અચળ રહે. અત્યારે કદાપિ વસમું અધિકતર (વધારે પડતું?) લાગશે; પણ. પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુ:ખી થઈશ; પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચને ઘટમાં ઉતાર – પ્રીતિપૂર્વક ઉતાર.”
એમ પિતાના અનુભવમાંથી નોંધાને, રોજનિશીના આ લખાણમાં આગળ તે લખે છે તેમાં, વ્યવહારમાં અન્ય સગાંસંબંધી તથા સ્નેહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org