________________
સમુચ્ચય-વયચર્યા” નાના પ્રકારની સૃષ્ટિરચના, નાના પ્રકારનાં સંસારી મોજાં, અનંત દુ:ખનું મૂળ, – એ બધાંને અનેક પ્રકારે મને અનુભવ થયો છે. સમ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થ નાસ્તિકોએ જે વિચારો કર્યા છે, તે જાતિના અનેક વિચારો તે અલ્પ વયમાં મેં કરેલા છે. મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચાર અને એક નિ:સ્પૃહી મહાત્માએ કરેલા નિસ્પૃહાના વિચાર મેં કર્યા છે. અમરત્વની સિદ્ધિ અને ક્ષણિકત્વની સિદ્ધિ ખૂબ વિચારી છે. અ૫ વયમાં મહતું વિચારો કરી નાંખ્યા છે; મહતું વિચિત્રાતાની પ્રાપ્તિ થઈ છે. એ સઘળું બહુ ગંભીર
ભાવથી આજે હું દૃષ્ટિ દઈ જોઉં છું, તે પ્રથમની મારી ઊગતી વિચારશ્રેણી, આત્મદશા અને આજને આકાશપાતાળનું અંતર છે, તેને છે અને આને છેડો કોઈ કાળે જાણે મળ્યો મળે તેમ નથી. પણ શોચ કરશો કે, એટલી બધી વિચિત્રતાનું કોઈ સ્થળે લેખન-ચિત્રન કર્યું છે કે નહીં? – તો ત્યાં એટલું જ કહી શકીશ કે, લેખન-ચિત્રન સઘળું સ્મૃતિના ચિત્રપટમાં છે. બાકી પત્ર-લેખિનીને સમાગમ કરી જગતમાં દર્શાવવાનું પ્રયત્ન કર્યું નથી. યદિ હું એમ સમજી શકું છું કે તે વયચર્યા જનસમૂહને બહુ ઉપયોગી, પુન: પુન: મનન કરવા ચોગ્ય, અને પરિણામે તેઓ ભણીથી મને શ્રેયની પ્રાપ્તિ થાય તેવી છે; પણ મારી સ્મૃતિએ તે પરિશ્રમ લેવાની મને ચોખ્ખી ના કહી હતી, એટલે નિરુપાયથી ક્ષમા ઈચ્છી લઉં છું. પરિણામિક વિચારથી તે
સ્કૃતિની ઇચ્છાને દબાવી – તે જ સ્મૃતિને સમજાવી, તે વયચર્યા, ધીરે ધીરે બનશે તે, અવશ્ય ધવળ-પત્ર પર મૂકીશ; પણ સમુચ્ચયવય-ચર્યા સંભારી જાઉં છું.”
આમ એક ગંભીર આત્મકથા લખવાની પ્રસ્તાવનાને શોભે એવો પ્રગભ પ્રારંભ કરીને, તેને તે સાગપાંગ લખતા નથી, તેમ છતાં તેઓ પોતાનાં પ્રથમ ૨૨ વર્ષની ચર્ચાના મુખ્ય માર્ગખંભ બતાવે એવી ટકી નેધ છે, તે વયની આત્મસાધનાનું પોતાનું સંભારણું કહી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org