________________
જ્ઞાની ભાવની અતિભા સંભવે, માટે ત્યાં અ૫ભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિસ્થી - થવું, અહ૫-આવકારી થવું, અ૫-ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અ૫-ગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ ટોયસ્કર છે. (શ્રી, ૧- પા. ૨૩૬). - એમ સ્ત્રી સંગ વિષેની સાવધાની તે મુમુક્ષુ ગૃહસ્થને, સ્વાનુભવ-માંથી, આપે છે . . . . . . . . - પરંતુ, તે પરથી સ્ત્રીનિંદા જેવી ભાવના તે નથી કરતા, તેઓ એમ જુએ-સમજે છે કે, કામ-સંસાર જીવાત્માના પિતાનો દેષ છે. સં9 -૧૯૪૪ માં લગ્ન પછી એકાદ વર્ષે લખેલા લેખ (“સ્ત્રીના સંબંધમાં -મારા વિચાર”) માં તેમણે આ અંગે કહેલું, ઉપર આપણે જોઈ ગયા – “ સ્ત્રીમાં દૈષ નથી, પણ આત્મામાં દોષ છે; ” વગેરે. (જુઓ પા. ૧૬)
આ પ્રકારે પોતાના અંતરમાં આત્મ-પરિચય ધરાવતા જાગ્રત પુરુષ તે હતા. લગ્ન અને સંસારનું બંધન પૂર્વોપાર્જિત હેય- શનવજન્મ જ એવો છે, તેમાં વાંધો નથી; તેનો સદુપયોગ કરી તેમાંથી આગળ - જવાનો પ્રયત્ન કરવા સાવધ હોવું જોઈએ. અને કવિ તેમાં મહા ઉત્કટ પ્રયત્નવાન હતા. તેમના ગૃહસ્થજીવનને વિષે એક ભાઈને ૧૯૪૬ માં (એટલે કે, લગ્ન બાદ બે વર્ષે) લખ્યું કે- ' * “ગૃહસ્થાશ્રમી જેને લઈને કહી શકાય છે તે વસ્તુ અને મને તે વખતમાં કંઈ ઘણો પરિચય પડયો નથી; તો પણ તેનું બનતું કાયિક, વાચિક અને માનસિક વલણ મને તેથી ઘણુંખરું સમજાયું છે, અને તે પરથી તેને અને મારા સંબંધ અસંતોષ-પારા થયો નથી; એમ જણાવવાને હેતુ એવો છે કે, ગૃહાશ્રમનું વ્યાખ્યાન સહજ માત્ર પણ આપતાં તે સંબંધી વધારે અનુભવ ઉપયોગી થાય છે. મને કાંઈક સાંસ્કારિક અનુભવ ઊગી નીકળવાથી એમ કહી શકું છે કે, મારો ગુહાશ્રમ અત્યાર સુધી જેમ અસંતોષપાત્ર નથી, તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org