________________
જ્ઞાની ભક્ત ગીતાકાર જગતના માનવના બે સર્ગ બતાવે છે – ૧. દુકૃતી કે નરાધમ રાક્ષસ, ૨. સુકૃતી ભજન અને ભક્તજનેમાં ચાર વર્ગ પાડે છે – અર્થાથ, આર્ત, જિજ્ઞાસુ, અને જ્ઞાની. કવિ જિજ્ઞાસુ ગૃહસ્થીમાંથી થોડા જ સમયમાં જ્ઞાની ભક્તની વાનપ્રસ્થ કોટિમાં પહોંચે છે: આ એમનો પુરુષાર્થ અભ્યાસીઓને ખૂબ પ્રેરક બની શકે છે. કવિની. નોંધ તથા પત્રો ઈ૦ સાહિત્યમાંથી આ પ્રકારને અભ્યાસ કરવા. જેવો છે. તેમના નાના ભાઈ મનસુખલાલે ઈ. સ. ૧૯૧૩માં બહાર. પાડેલા “રાજજયંતી વ્યાખ્યાને ” પુસ્તકની પ્રસ્તાવનામાં આ પ્રકારની. જરૂર અંગે લખતાં સાચું કહ્યું છે કે –“જો (કવિના અક્ષરદેહ રૂપે ગ્રથિત થયેલા) એ વિચારોનું શાસ્ત્રીય (“સાયટિફિક '), ટીકાકારી. (‘ક્રિટિકલ'), તુલનાત્મક (“કંપેરેટિવ'), અને માનસશાસ્ત્રીય. (“સાઈકૉલૉજિકલ') પૃથક્કરણ (“એનેલિસિસ') કરી, તેનાં હાર્દોનું શોધન કરી, તેની, તેઓનાં અંગત (“પર્સનલ') અને આત્મિક (“ સ્પિરિટ્યુઅલ’) જીવનવિભાગોની સાથે લગાવટ (“ઑલિકેશન) કરવામાં આવે, અને પછી તેને મંકેડારૂપ ગોઠવી એક સળંગ સાંકળને આકાર આપવામાં આવે, તો તેના ચરિત્રમાં નિવાસિત થયેલા જુદા જુદા પ્રકારની વિશિષ્ટતા તથા નિગૂઢ (‘રિડલ્સ”)નું ગીર અને વાસ્તવિક દર્શન થઈ શકે.”
કવિશ્રીના જીવનનાં આ બેચાર વર્ષે તેમના આંતર. જીવનમાં ભારે નિર્ણાયક સ્વરૂપનાં હતાં. આપણે જોયું કે, જુવાનીમાં શરૂમાં વિચારે નાસ્તિક જડવાદી તે હતા. તેમાંથી કાળે કરીને તેમનામાં શ્રદ્ધા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org