________________
જ્ઞાની ભકતની પ્રતિભા
વસોમાં મોતીલાલ નામના નડિયાદના ભાવસાર શ્રી. રાજચંદ્રની સેવામાં રહેતા હતા. તેમની મારફતે નડિયાદની આસપાસ કોઈ એકાંત સ્થળ રહેવાને યોગ્ય હોય તેની તપાસ શ્રી. રાજચંદ્ર કરાવી હતી. તે મુજબ નડિયાદ અને ઉત્તરસંડાની વચમાં એક બંગલો મળી શકે તેવી ગોઠવણ થઈ. એટલે શ્રી. અંબાલાલ, શ્રી. લહેરાભાઈ અને શ્રી. મોતીલાલ એ ત્રણની સાથે શ્રી. રાજચંદ્ર ત્યાં પધાર્યા. બીજા કોઈને ત્યાં આવવાની મનાઈ હતી. પંદર દિવસ સુધી શ્રી. અંબાલાલ તેમની સેવામાં રહ્યા. પરંતુ શ્રી. રાજચંદ્રને તદ્દન એકાંતની જરૂર હોવાથી બધા સરસામાન લઈ અંબાલાલને ગામમાં વિદાય કર્યા, માત્ર મોતીલાલ સાથે રહ્યા. તે વખતે શ્રી. રાજચંદ્રની અવસ્થા એવી હતી કે શ્રી. અંબાલાલે મોતીલાલને રાત્રિ દરમ્યાન પણ એક બે વખત તેમની સંભાળ રાખતા રહેવાનું જણાવ્યું હતું. શ્રી. રાજચંદ્ર વનમાં એકલા. દૂર ફરવા ગયેલા, તે સાડા દશ વાગ્યે પાછા આવ્યા. મોતીલાલ હીંચકા. ઉપર ગાદલું બિછાવ્યું અને તેના ઉપર તે બેઠા. થોડી વાર પછી મોતીલાલ તપાસ કરવા આવ્યા તે ગાદલું નીચે પડેલું અને મચ્છર બમણા કરે. એટલે એક ધોતિયું લાવી તેમણે શ્રી. રાજચંદ્રને ઓઢાડયું અને પાછા અંદર જઈ સૂઈ ગયા. રાત્રો વળી પાછા તપાસ કરવા આવ્યા, તો ધોતિયું નીચે પડેલું અને શ્રી. રાજચંદ્ર કાંઈ ગાથાઓ રટયા કરતા હતા. તેથી મોતીલાલે ધોતિયું ફરી ઓઢાડવું. આમ રાત્રો
ભાન હાતુ નાહ.
મોતીલાલ શ્રી. રાજચંદ્ર માટે પોતાને ઘેરથી દિવસમાં એક વખત આહાર લઈ આવતા. શ્રી. રાજચંદ્ર બે રૂપિયાભાર લોટની રોટલી તથા થોડું દૂધ આખા દિવસમાં લેતા. સાંજે દૂધ પણ લેતા નહિ.
સાંજના શ્રી. રાજચંદ્ર દૂર ફરવા જતા. સાથે મોતીલાલ પણ જતા. એક વખત શ્રી. રાજચંદ્ર માર્ગમાં કહ્યું, “તમે પ્રમાદમાં શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org