________________
પરિશિષ્ટ - ૧
વિનંતિ કરી. શ્રી. રાજચંદ્ર મુંબાઈમાં જ હતા. એટલે શ્રી લલ્લુજીએ તેમના સમાગમની આશાÛ ખંભાતથી મુંબઈ ચાતુર્માસ કરવાની આજ્ઞા મંગાવી અને બધા મુંબઈ ગયા. ત્યાં શ્રી લલ્લુજી શ્રી. રાજચંદ્રને મળવા ગયા. શ્રી. રાજચંદ્રે તેમને મુંબઈ જેવા અનાર્ય દેશમાં આવવા માટે મૃદુ ઠપકો આપ્યો. શ્રી લલ્લુજીએ તેમને રોજ એક કલાક આપવાની વિનંતિ કરી અને તેમણે તે મંજૂર રાખી. એ પ્રમાણે શ્રી. લલ્લુજી રોજ શ્રી. રાજચંદ્રની પેઢીએ જતા. તે આવે એટલે શ્રી. રાજચંદ્ર તેમને લઈ પાસેની એક ઓરડીમાં જતા અને ત્યાં શાસ્ત્રવાચન વગેરે કરતા.
એક વખત શ્રી દેવકરણજીને શ્રી. રાજચંદ્રને મળવા ઇચ્છા થઈ. એટલે સુંદરલાલ શ્રી. રાજચંદ્રને ચીચપાકલીના અપાસરે લઈ ગયા. ત્યાં પોથીમાંથી લુપ્ત થઈ ગયેલા કેટલાક પાઠ શ્રી. રાજચંદ્રે તેમને કહી બતાવ્યા અને સૂત્રકૃતાંગની બેએક ગાથાઓના અર્થ બાબત તેમને શંકા હતી તે દૂર કરી. આથી શ્રી દેવકરણજી પણ તેમના પ્રત્યે ખેંચાયા.
શ્રી લલ્લુજીને લાગતું કે દેવકરણજીને જો યથાર્થ બોધ થાય તે સારું; કારણ, તેમની વ્યાખ્યાનશક્તિ ઘણી સારી હતી. એ ઇરાદે તે શ્રી. રાજચંદ્રને ત્યાં જતી વખતે તેમને સાથે લઈ જવાની ઇચ્છા રાખતા. એક વખત શ્રી. રાજચંદ્રની રજાથી તેમને પેાતાની સાથે લઈ
આવ્યા.
૨૫૭
શ્રી. રાજચંદ્રે દેવકરણજીને પૂછ્યું, “ વ્યાખ્યાનમાં કેટલાં માણસે
આવે છે?”
દેવકરણજીએ કહ્યું, “ હજારેક માણસે ભરાય છે. – ” શ્રી. રાશ્ચંદ્રે પૂછ્યું, “સ્ત્રીઓને વ્યાખ્યાનમાં દેખી વિકાર થાય છે?”
શા૦-૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org