________________
પરિશિષ્ટ-૧
૨૫૩
અવધાનોના પ્રયોગો દ્વારા શ્રી. રાજચંદ્રની કીર્તિ ગુજરાત-કાઠિયાવાડમાં ઘણી પ્રસરી હતી. તે વખતે કાઠિયાવાડના સાયલા ગામમાં શ્રી. લલ્લુભાઈ કરીને એક નામાંકિત શેઠ રહેતા હતા. પ્રસંગવશાત . તેમની ધનસંપત્તિ ચાલી જતાં, તેમણે મારવાડના સાધુઓની મંત્રાતંત્રમાં કુશળતા સાંભળી, તેવા કોઈ સાધુની આરાધના દ્વારા ચાલી ગયેલી. લક્ષ્મી ફરી પ્રાપ્ત કરવાનો મનસૂબો કર્યો. એ પ્રમાણે કોઈ એક પ્રખ્યાત સાધુનો પરિચય કરી, તેને પ્રસન્ન કરી, અંતે તેમણે પોતાના મનની. વાત તેને નિવેદિત કરી. પેલા અધ્યાત્મપ્રેમી સાધુએ શેઠની તેમની વૃત્તિ માટે ઠપકો આપ્યો અને તેમની માગણીના બદલામાં “બીજજ્ઞાન’ આપ્યું અને જણાવ્યું કે આ સાધના તમને ઉપયોગી નથી, પરંતુ કોઈ યોગ્ય પુરૂષ મળે તો તેને આપજો અને તેને જ્ઞાનપ્રાપ્તિ થશે. એ. બીજજ્ઞાન શેઠે એ પ્રમાણે બીજા કોઈ યોગ્ય પુરુષને આપવાનું કહીને. પોતાના પુત્રી સોભાગ્યભાઈને બતાવ્યું હતું.
એક વખત સોભાગ્યભાઈને મોરબીમાં જવાનું થયું. તે વખતે. શ્રી. રાજચંદ્ર મોરબીમાં હતા. એટલે શ્રી. સોભાગ્યભાઈએ પોતાના પિતાને પૂછયું કે, “કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે એમ બધે કહેવાય છે. તે આપની આજ્ઞા હોય તો હું તેમને તે જ્ઞાન બતાવું.” તેમણે હા પાડી. શ્રી. સોભાગ્યભાઈ મોરબી પહોંચ્યા બાદ શ્રી. રાજચંદ્રને મળવા ગયા. ઉપર જણાવ્યું છે તેમ, શ્રી. રાજચંદ્ર તે વખતે બીજાના મનની વાતો કહી બતાવવાના પ્રયોગો કરતા હતા. એટલે શ્રી. સેભાગ્યભાઈને આવતા દેખી તેમણે બધું એક કાપલીમાં. લખી રાખ્યું અને તે પાસે આવતાં તેમને વંચાવ્યું. શ્રી. સોભાગ્યભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારથી તે તેમના તરફ આકર્ષાયા અને ધીમે. ધીમે તે સંબંધ ગાઢ બનતો ગયો.
એક પત્રમાં શ્રી. સોભાગ્યભાઈ સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ને. રવિવારે શ્રી. રાજચંદ્રને લખે છે: “આ કાગળ છેલ્લો લખી જણાવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org