________________
૨૪૮
જ્ઞાની ભક્તની પ્રતિભા ક્ષેપકવત” એ બીજી કડી ટાંકીને, ઉપર ટાંકેલા શક્ય “વિકલ્પને . વધુ વિચાર કરતાં એનું નિરસન કરવામાં આવ્યું છે. અને અંતે બે કડીનો ભેગે અર્થ કરી બતાવતાં લખે છે (શ્રી.૧-૩૮૫):
“ઘટે છે તે એમ કે, પુરુષ પ્રત્યે સ્ત્રીને જે કામ્ય પ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંત ગુણ-વિશિષ્ટ એ પ્રેમ, સત્પરુષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ ધૃતધર્મ તેને વિશે યોગ્ય છે; પરંતુ તે પ્રેમનું સ્વરૂપ જ્યાં અદૃષ્ટાન્તપણાને પામે છે ત્યાં બોધને અવકાશ નથી, એમ જાણી પરિસીમાભૂત એવું તે શ્રતધર્મને અર્થે ભરતાર પ્રત્યેના સ્ત્રીના કામ્ય પ્રેમનું દૃષ્ટાન્ત કહ્યું છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાને પામતો નથી. આગળ વાણી પછીનાં પરિણામને પામે છે અને આત્મવ્યક્તિએ જણાય છે, એમ છે.”
૩ આમ કવિશ્રી સ્પષ્ટ બતાવે છે કે, કીટ ભ્રમરન્યાય કે પતિપત્ની-પ્રેમ-ન્યાય કલ્પના કે ભાસ નથી, પરંતુ આત્મ-કામનાનું સ્વરૂપ પામવામાં મદદરૂપ દૃષ્ટાન્ત તે સારું કામ દે છે. તેથી તેવી ઉત્કટતાથી આત્મકામ બનવાનો નિશ્ચય કરવો જોઈએ, એ વસ્તુને માટે સત્સંગ, સંયમ, સમાધિ ઇ0 સાધનનું એકાગ સેવન થવું ઘટે છે;– એવાં ઉદ્બોધન આ કાળનાં તેમનાં લખાણોનો મુખ્ય સૂર હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org