________________
જ્ઞાની ભક્તની પ્રતિભા “નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નરનારી રે, ભવિકા”
“મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત.”
અને તે જ દિવસે (આંક ૩૯૩) બીજો લાંબો પત્ર એક લખ્યો છે, તેને મથાળે “મન મહિલા ' કરીને બીજો ભાગ (“તેમ શ્રુતધર્મેરે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત”) ટાંકીને, તે પત્રમાં નીચે. લખે છે:
“આનંદઘનજીનાં બે વાક્ય સ્મૃતિમાં આવે છે, તે લખી અત્યારે આ પત્રા સમાપ્ત કરું છું :“ઇણવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર-નજરથી, આનંદઘન પદ પાવે.
હો! મલિજન, એ અબ શોભા સારી.
મન મહિલાનું રે વહાલા ઉપરે, ....
જિન થઈ જિનવર જે. તે ભૂંગી જગ જેવે રે
– શ્રી. આનંદઘન.” અને તે પછી “મુંબઈ, શ્રાવણ વદ ૧૦, ૧૯૪૮’ને લાંબો પરા (“મન મહિલાનું રે...' એ કડીઓ મથાળે ટાંકીને) છે, તેમાં આ કીટ-ભ્રમર-ન્યાયે કેવળ આભાસ-દર્શન જ ન હોય?– એ પ્રશ્ન લંબાણથી તપાસે છે. શરૂમાં “મહિલાના મન’ની ઉપમા સમજાવતાં કહે છે, “ઘર સંબધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યક દૃષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ-ધર્મ તેને વિષે લીનપણે વર્તે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org