________________
જ્ઞાનીના માર્ગને વિચાર
૨૫. અને એની સાધના વડે શ્રીમદ્ આત્મચિંતનની સ્વસ્થતા અનુભવી શકતા હતા. તથા તેવી નૈષ્કર્મ-સિદ્ધિ તેમણે સાધી હતી, એમ ગીતાની.. પરિભાષામાં કહી શકાય
આ તપાસવાને માટે કવિશ્રીએ, કઈ ભાવના તથા સમજદૃષ્ટિથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરેલો અને તેમાં જિજ્ઞાસા-મુમુક્ષા-પૂર્વક પ્રવર્યા, તે જોવું ઘટે. “સમુચ્ચયવયચર્યા' લખ્યા પછી તે દિવસે – માગશર, સુદ ૯, રવિ, ૧૯૪૬ રોજ (શ્રી. જૂઠાભાઈને) લખેલા પત્રમાં તે કહે છે :
તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી, તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણો પ્રકાશિત થાય, એમ પ્રવર્તવા અભિલાષા.. ''. પરંતુ તેવા ગુણ મારામાં પ્રકાશિત થયા છે, એમ મને લાગતું
પો; માત્ર રુચિ થઈ એમ ગણીએ તે ગણી શકાય. આપણે જેમ. બને તેમ એક જ પદના ઇચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આં. કે, “બંધાયલાને છોડવો.’ એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું એ. સર્વમાન્ય છે.” (શ્રી.૧- ૨૩૨)
તેમ જ ૨૦માં વર્ષે લગ્નસંસ્કાર અંગીકાર કર્યો, તે પૂરી સમજબુદ્ધિથી અને પોતાનાં સ્વ-કર્મ-ધર્મની સ્વાભાવિક ભૂમિકામાં પ્રવર્તતા. નિજ જીવનની સાધનાદૃષ્ટિએ વિચારીને કર્યો હતો, એમ સ્પષ્ટ જોઈ શકાય છે. તેમનાથી બે વર્ષે નાના સમકાલીન ગાંધીજી પેઠે, તે કાળમાં બનતું એમ, કવિશ્રીનું લગ્ન બાળ વયે થયું નહોતું.તેમ ૨૮મે વર્ષે પરણ્યા હતા, અને આપણે જોયું કે, તેમનામાં આત્મજિજ્ઞાસાનો ઉદય, ૧૭મા વરસે થઈ ચૂક્યો હતો. તે એ ઉંમરથી આત્માર્થી બનેલા જોવા મળે છે. પોતાની જીવનયાત્રા માટે પોતાનો આદર્શ તેમણે પોતાના મનથી બાંધી લીધો હતો. બલ્ક, લગ્નસંસ્કારને એ પુરુષ પોતાની તે. સાધનામાં વચ્ચે આવતો એક તબક્કો સમજીને ચાલ્યા, એમ એમનાં જ્ઞા૦-૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org