________________
૩૩
જ્ઞાનીના માર્ગને વિચાર “જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ' શબ્દને લક્ષ્યાર્થ એવો છે કે, અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ.......
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ, અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે. ... અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે; પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. (શ્રી,૧ - ૩૫૮-૯)
“ગુહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમ પુરુષ સર્વ-સંગ-પરિત્યાગનો ઉપદેશ કરતા હતા.(શ્રી ૨-૫૫૭)
કવિના વિષાદના નિમિત્ત-કારણ રૂપ ગૃહસ્થાશ્રમની ઉપાધિ છે અને વનવાસ – સંન્યાસાશ્રમને તે ઊંડે ઊંડે ઝંખે છે, તે તે આશમાન્તર કેમ કરતા નહિ હોય? તેમને તેમ કરતાં શું રોકતું હશે? તે મહા પુરુષાર્થી પુરુષ કેમ રોકાઈ રહે વારુ? – આવો પ્રશ્ન વિચારવા જે છે; કેમ કે જીવન-સાધનાના વિચાર-ક્ષેત્ર તેમાં એક મહત્ત્વને મુદ્દો – સમજવા જેવી અધ્યાત્મ-ભૂમિકા કે પરમ જીવનસિદ્ધિની યાત્રામાં નેધપાત્ર તબક્કો તે છે. તેથી જ, આવી ભૂમિકામાં વિષાદની ઝળક
२२३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org