________________
પ્રેમભક્તિની ઝ"ખના
૧૯૫
અક્ષરે ભરપૂર છે; અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે, સાક્ષાત્ અનુભવ-પ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલેાક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે. ......” (શ્રી,૨ - ૨૯૫)
આમ લખ્યા પછી દસ દિવસે બીજો પત્ર લખ્યો તેમાં આ “ ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. ” – એમ વિશેષમાં લખ્યું છે. (મહા વદ ૧૩, સં. ૧૯૪૭– શ્રી.૧ - ૨૯૮)
શ્રીમદ્ ભાગવત ગ્રંથ વિષે પ્રસંગોપાત્ત લખતાં, એક પત્ર (મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૭) લખ્યો તેમાં કહ્યું છે:
“ એક દેખિયે જાનિયે, રમી રહિયે ઈક ઠૌર; સમલ વિમલ ન વિચારિયે, યહું સિદ્ધિ નહિ ઔર.
―
– એ દેહા વિષે આપે લખ્યું, તે એ દોહાથી અમે આપને નિ:શંકતાથી દૃઢતા થવા લખ્યું નહાતું; પણ સ્વભાવે એ દોહા પ્રશસ્ત લાગવાથી લખી માકલ્યા હતા. એવી લય તે ગોપાંગનાને હતી. શ્રીમદ્ ભાગવતમાં મહાત્મા વ્યાસે વાસુદેવ ભગવાન પ્રત્યે ગોપીઓની પ્રેમભક્તિ વર્ણવી છે, તે પરમાત્લાદક અને આશ્ચર્યક છે.
“‘નારદ ભક્તિસૂત્ર” એ નામનું એક નાનું શિક્ષાશાસ્ત્ર મહર્ષિ નારદજીનું લખેલું છે; તેમાં પ્રેમભક્તિનું સર્વોત્કૃષ્ટ પ્રતિપાદન કર્યું
....
""
""
તે પછી ફાગણ વદ ૮, બુધ, ૧૯૪૭, ના બીજો પત્ર છે તેમાં કહે છે:
“શ્રીમદ્ ભાગવત પરમ ભક્તિરૂપ જ છે. એમાં જે જે વર્ણવ્યું છે, તે તે લક્ષરૂપને સૂચવવા માટે છે.” (શ્રી.૧ - ૩૦૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org