________________
રાખી શકાતી મતિભા - “એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાની પુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્રી, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી જેવા ભાસતા એવા જીવો સમાવેશ : પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વચ્છેદ-પરિણામી એવા પરમાર્થ માર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો, તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય - ઉત્પન્ન થાય છે અથવા થયા કરે છે; સ્વછંદ-પરિણામ જેનું ગણિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહે છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકારે વિચાર છે. વિચારવાન છે તેને યથાબુદ્ધિએ, સદ્ગથે, સત્સંગે તે વિચાર પ્રાપ્ત થાય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજે બીજે પ્રકારે વિચારવા સંભારવા યોગ્ય છે.”
યોગસૂત્રો અંતર્યામી ઈશ્વર-ગુરુને પ્રણિધાન માટે કહે છે, તે સૂત્ર – તા: તરુમાવનમ્ તેનું ભાષ્ય જ કવિ ઉપર કહે છે! જ્ઞાન અને ભક્તિ વચ્ચે બહુ સૂક્ષ્મ સંબંધ છે: જ્ઞાન કોઈ બાહ્ય મંત્ર કે શાસ્ત્રવચન યા પિોથીના શબ્દ નથી. તે તો હૃદયમાં બિરાજતું આત્મ-સત્ય કે ઈશતત્વ
જ છે – “જ્ઞાને શેય જ્ઞાનસાગ્યે દૃદ્ધિ સેવી વિષ્ઠિતમ્” (ગીતા, ૧૩૧૭). એને અનન્ય ને ઉત્કટ ભાવે ઝંખવું, જેથી તદનુસાર જીવનશુદ્ધિ અને જીવનપલટો સહજભાવે થાય છે; – ભક્તિભાવનું તત્ત્વ એ જ છે. એટલે, જ્ઞાનને પહોંચવાનું સર્વગમ્ય સાધન એ માટેની અનન્ય જિજ્ઞાસા-ભક્તિ કે અંતરની તે માટેની ઉત્કટ પ્રેમભાવના છે. તેથી જ, જેમ કે, મીરાંબાઈએ કૃષ્ણની પૂજા કરતાં કરતાં ગાયું છે – “અસુવન જલ સીંચ સીંચ પ્રેમબેલ જોઈ.”– આવી પ્રેમભક્તિથી અંતરમાંથી ઈશકૃપા ઝરે છે – “કૃતકૃત્યતાનું સાક્ષાત સ્વરૂપ ઉત્પન્ન થાય છે.”
કવિ આ માર્મિક વસ્તુ (રાળજ, ભાદરવા સુદ ૮, શુક, ૧૯૪૭) ઉપરના પત્ર પછી, બીજા એક જણને લખેલા પત્રમાં આમ ટૂંકમાં લખે છે (શ્રી ૧-૩૩૧):
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org