________________
૧૫
- વેદમત-સમાગમ ક . “પર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિ પ્રયોજન સ્વ-સ્વરૂપ-પ્રાપ્તિને અર્થે છે; અને એ સમ્યક શ્રેણીઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા – યોગભૂમિકામાં વાસ – સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગ-પરિત્યાગમાં નિયમાવાસિત છે. .... જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલાસિત-ઉદાસીન ભાવે સેવવા યોગ્ય છે. બાહ્ય ભાવે ગૃહસ્થાશ્રેણી છતાં અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે.
મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા, કેટલીક વ્યવહારોપાધિને લીધે, પાર, પડી શકતી નથી; પણ પ્રત્યક્ષે સસ્પદની સિદ્ધિ આત્માને થાય છે, આ વાર્તા તો સંમત જ છે અને ત્યાં વય-વેશની વિશેષ અપેક્ષા નથી. નિગ્રંથના ઉપદેશને અચલભાવે અને વિશેષે સંમત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે,
“ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તે " ત્યાં પછી મતાંતરની, કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય, તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે; અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે, તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે.”
* આ પ્રકારે પોતાની પ્રતીતિની ભાવના બંધાયેલી તે નિરૂપીને પત્રને અંતે એક પ્રશ્ન કરતાં કવિ લખે છે:
આ વેળા લઘુવ-ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પળની પ્રશાપનીયતા ચાર પ્રકારે છે: દ્રવ્ય (તેને વસ્તુ સ્વભાવ)થી, ક્ષેત્ર (કંઈ પણ તેનું વ્યાપવું – ઉપચારે કે અનુપચારે)થી, કાળથી, અને ભાવ (તેના ગુણાદિક ભાવ)થી. હવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org