________________
જિનેશ્વરની ભકિત”
૧૩૧ માં કયો ખરો માનવો, એ વિષેનું મનોમંથન તેમાં રજૂ કર્યું છે. તેમાંથી, કવિની તર્ક પદ્ધતિ આ વિચાર-મીમાંસા કરવામાં કેવી રીતે કામ કરતી, તે જોવા જેવું છે : એ એમની શતાવધાની પ્રતિભાની તૈયાયિક તર્કપ્રધાનતા બતાવે છે.
ધર્મના મતભેદની મીમાંસાનું થડ “જિજ્ઞાસુ’ના નીચેના પ્રશ્નથી તે બાંધે છે:
સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય? જો સર્વને અસત્ય એમ કહીએ, તો આપણે નાસ્તિક કરીએ અને ધર્મની સચ્ચાઈ જાય..... એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય એમ કહીએ, તો તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ તો તો એ રેતીની ભીંત કરી; કારણ, તો આટલા બધા મતભેદ શા માટે પડે? સર્વ એક જ પ્રકારના મતો સ્થાપવા શા માટે ન યત્ન કરે? એમ અન્યોન્યના વિરોધાભાસ વિચારથી થોડી વાર અટકવું પડે.૧
“પણ તે સંબંધી યથામતિ હું ખુલાસો કરું છું. એ ખુલાસો સત્ય અને મધ્યસ્થ-ભાવનાનો છે. એકાંતિક કે મતાંતિક નથી; પક્ષપાતી કે અવિવેકી નથી; પણ ઉત્તમ અને વિચારવા જેવો છે. ”
અને આ પ્રકારનો નમ્ર છતાં દૃઢ દાવો કરીને, તે પછીના પાઠ ૫૯માં, તે ખુલાસો આપવાનું શરૂ કરતાં કહે છે :
“આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે, ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ, પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતાં
૧૧. અહીં આ બીજો એક પ્રમેય પણ કેમ ન માંડી શકાય કે, – સર્વમાં અમુક સત્યાંશ સંભવે છે? તેથી ગુણજ્ઞ દૃષ્ટિ કેળવીને કામ લેવું ઘટે.-મ
૨. આવો સંપૂર્ણ સત્યતા-ધારી ધર્મ કલ્પનામાં આદર્શ રૂપે ભલે હે; બાકી વ્યવહારમાં તે દરેક ધર્મ કાંઈ કાંઈ દોષપાશમાં આવે જ છે;જેથી તે ધર્મસુધારણા જરૂરી બને છે. જેવી કે, કવિ જૈનધર્મ માટે ચાહતા હતા. - -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org