SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જ્ઞાની ભકતની પ્રતિભા “હું શું કહું? તમને શું ઉત્તર આપું? મતિ મૂંઝાઈ ગઈ છે. ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. કયાંય દૃષ્ટિ કરતી નથી, અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ.” ભ્રાંતિ પડી ગઈ છે કે, હવે મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી.......બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જો એમ છે તેપણ ચિંતા નથી. આત્માની આસ્થા છે કે તે પણ નથી? તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે .જ્ઞાનાદિ તેને ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચારશૂન્યતાવત વર્તે છે. તેનો મોટો ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યગ્દર્શન છે. શા માટે મૂંઝાઓ છો? વિક૯૫માં પડો છો?.....” બીજી સ્વગત નોંધમાં જોવા મળે છે:– “હે શ્રી..........! તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો, તેનો અર્થ શો છે? નિ:સંદેહ થઈને રહો, અને એ જ તમારો સ્વભાવ છે . હે શ્રી...! તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરે. “હે અંતરાત્મા! વર્તમાન આત્મદશા જોતાં જો પરમ સત્સમાગમ, પ્રાપ્ત થયો હોય, અને તેના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય, તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી, અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થો મહા કઠણ છે.” અહીં કવિશ્રી, કોઈ ગુરુશરણ મળી જાય તો ઉપાય છે, એમ. કહેતા લાગે છે. પરંતુ તેમ ન બને એમેય તેમને લાગે છે.* * કદાચ ગાંધીજી પેઠે કવિને પણ ગુરુપદને પાત્ર પુરુષ પિતાને માટે નજરમાં ન બેસતો હોય; તેથી નિગ્રંથ જ્ઞાની મહાવીરની માનસ ગુરુભક્તિ તેમણે કેળવી;- જેમ ગાંધીજીએ રામ કૃષ્ણ વિષે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy