________________
૧૦૨
જ્ઞાની ભકતની પ્રતિભા પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.)...”
આમ કાલક્રમ-કલનમાં તપાસતા જતાં, ભૂતકાળ કે પૂર્વજન્મમાંય જઈ શકાય, જેથી પ્રવર્તમાન સ્વભાવની અંદર નિગૂઢ રહેલા તેના વિભાવો જણાય. આ બતાવવાને માટે તે પત્રમાં આગળ દાખલો આપીને સમજાવવાને સારુ કવિ કહે છે :- એક માણસે એવો દૃઢ સંકલ્પ કર્યો કે, વાવ-જીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય અને ચિતવન થયું, તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અ૯૫ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકનો કોઈ પણ અંશે ઉદય જોઈએ... ઉદય દૃઢ સંકલ્પ રોક્યો છતાં થયો, તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે.” *
અને વધારે દૃષ્ટાતો કહેવાની ઇચ્છા છતાં, ધાર્યાથી લાંબો થયેલો પત્ર ટૂંકાવતાં છેવટે જણાવે છે કે, વિશેષ તો રૂબરૂ મળીએ ત્યારે:
આત્માને જે બંધ થયો તે મન યથા ન જાણી શકે; મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે, વચનને કથનબોધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી ....... આ વિષય મૂકી દઉં છું. એ અનુમાનપ્રમાણ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદૃષ્ટ હશે તો હવે પછી, વા દર્શન સમય મળે તો ત્યારે કાંઈક દર્શાવી શકીશ.” (શ્રી,૧ - ૨૧૪-૫)
સારાંશે જોઈએ તો, કહેવાની મતલબ એ છે કે, જીવનમાં પ્રયાણ કરતાં, પોતપોતાની જેવી જીવન-દૃષ્ટિની જરૂર તે પ્રમાણે, દરેકે પોતાના સ્વભાવને ઓળખવો પડે છે. એ આંતર-પરીક્ષા કાર્યકારણદૃષ્ટિથી કરી, શકાય; જે પુરુષ જરા-મરણની પાર જઈને આત્માની અમરતા જોવા જય, તે કેવળ અમુક વર્ષોની સ્મૃતિમાં જ નહીં અટવાય કે રોકાય;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org