________________
આભના ટેકા : ૯૫
નથી પણ અર્ધા ભરેલામાં રસ છે. પ્રયત્ન કરવાથી આ દિષ્ટ કેળવી શકાય છે. એ માટે આપણી પાસે સંતોષવૃત્તિની મૂડી હોવી જરૂરી છે. સંતુષ્ટ મનોવૃત્તિ હોય તો જે કાંઈ પ્રાપ્ત થયું હોય તે ઓછું નહીં લાગે, વધારે જ લાગશે. ફરિયાદ કે અફસોસને અવકાશ નહીં રહે. ખરેખર તો આપણને આપણી લાયકાતથી વધુ જ મળતું હોય છે. આપણે એને કઈ અપેક્ષાએ મૂલવીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. બે હજાર રૂપિયાની આવકવાળો વેપારી જો હજાર-પંદરસોની આવકવાળાને નજર સમક્ષ રાખી વિચારે તો પોતાની આવક વધારે લાગશે. પરંતુ પાંચ હજારની આવકવાળાને સામે રાખે તો પોતાની આવક ઓછી જ લાગશે. આવક વધુ લાગે તો પોતાને સુખી માને અને ઓછી લાગે તો પોતાને દુઃખી માને. આમ સુખ દુઃખ એ એક માન્યતા જ છે.
સુખી થવું કે દુ:ખી થવું એ પોતે જ નક્કી કરવાનું છે. આપણી દૃષ્ટિ પ્રમાણે જ સૃષ્ટિ રચાય છે. એક નવયુવાન શ્રાવણી મેળામાં જઈ રહ્યો હતો. રસ્તે સેંકડો નરનારીઓને આનંદમાં રાચતાં અને નાચતાં જતાં જોયાં. અચાનક એની નજર એ બધાના પગ તરફ ગઈ અને મન વિષાદથી ભરાઈ ગયું...આ....... આ હું શું જોઈ રહ્યો છું ? કોઈ માણસ એવું ન હતું કે જેના પગમાં પગરખાં ન હોય. કોઈના પગમાં બુટ, તો કોઈના પગમાં ચંપલ, સેંડલ, સ્લીપર..બસ, હું એક અભાગી કે મારા પગ, પગરખાં વિનાના અડવા. હું જ ઉઘાડપગો !
ન
બધાના પગ પરથી એની નજર હટે નહીં. કોઈના નવાનક્કોર, કોઈના ફેશનેબલ છે. જોતો જાય અને બળતો જાય. એમ કરતાં તો મેળો આવી ગયો. જાત જાતની દુકાનો ભરાઈ છે, રમકડાંની, ખાણીપીણીની; નાનામોટા ચકડોળ અને ચકરડીઓ છે. આ બધું જોતાં એની નજર એક નાની ગાડલીમાં સૂતેલા માણસ પર પડી અને તે ચમક્યો ! આ શું ? આને તો પગ જ નથી. અને છતાં આનંદથી મેળો માણી રહ્યો છે ! જાણે કે પહેલીવાર આ બધું નીહાળી રહ્યો હોય એવો આનંદ એના મોં પર છલકાઈ રહ્યો છે ! ક્ષણવારમાં આ આનંદનો ચેપ આ ઉઘાડપગાને લાગ્યો. વિષાદને સ્થાને આનંદ ! આ તે કેવું જાદુ ? ઉઘાડપગાને થયું : આને તો પગ છે જ નહીં ! મારા પગ તો સાબૂત છે. છે તો પગરખાં પણ મળશે.
પગ
આવા રસ્તા છે સુખી કે દુ:ખી થવાના. ઈશ્વરે મને ઘણું આપ્યું છે એ ભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org