________________
૯૬ : આભના ટેકા
સતત ૨મતા રહે તો સુખ જ સુખ છે. આપણે ગમે તે પગથિયે ઊભા હોઈએ, નીચે જોઈશું તો આપણે ઊંચાઈ પર હોવાનો અનુભવ થશે. જ્યારે ઊંચે નજર પડે ત્યારે અભાવનો અનુભવ કરવાને બદલે, એ રસ્તો દેખાયો છે માટે ત્યાં જવાની પ્રેરણા પામવી. નજર ક્યાં અને કેવી રીતે ઠેરવવી એ આપણે નક્કી કરવાનું છે.
ધર્મના અને સદ્દભાવના ક્ષેત્રમાં ઊંચી ભૂમિકાવાળા જીવોને નજર સમક્ષ - રાખવા અને સંસારના ક્ષેત્રમાં નિમ્ન સ્તરે રહેલાં જીવોને જોવા.
ધર્મમાં ઊંચે જોવાથી પ્રેરણા મળે છે. જ્યારે સંસારમાં નીચેનાને જોવાથી દીનતા ન આવે તથા તૃષ્ણા કાબુમાં રહે. આવો અભિગમ કેળવવાથી જીવનમાં તટસ્થતા આવે છે.
આ અભિગમ કેળવવા, સંતુષ્ટ મનોવૃત્તિ જરૂરી છે. થોડું આગળ વિચારીએ. આપણને જે કાંઈ મળ્યું છે તે આપણી લાયકાતથી વધારે છે અને સારું પણ છે. આ માટે પ્રભુનો અનહદ ઉપકાર છે. આટલા વિચાર દ્દઢ કરવા માટે સમજણના સીમાડા વિસ્તારવા જોઈએ. પંચતંત્રની એક સરળ વાર્તાનો આધાર લઈએ. દાદા દાદીએ નાનપણમાં આ વાતો કહીને આ સમજણ આપણામાં રોપેલી છે જ.
અડાબીડ નિર્જન જંગલમાં ઘણાં બધાં પશુ પક્ષીઓ નિર્ભયતાથી રહેતા. તેમાં એક હૃષ્ટપુષ્ટ સાબર બપોરની શાંત વેળાએ નાના તળાવમાંથી નિરાંતે પાણી પીતું હતું. પાણી પીતાં તેની નજર, પાણીમાં દેખાતા પોતાના શીંગડા પર પડી. અહા ! કેવા મરોડદાર લાંબા અને અણીયાળા શીંગડા છે ! વળી કપાળ પર નજર ગઈ. કેવી મુલાયમ રુંવાટી ! સ્થિર અને નિર્મળ પાણીમાં સૂર્ય પ્રકાશથી ચળકતાં સ્વચ્છ પ્રતિબિંબ જોઈને તો મોહ થાય જ ને ! લાંબી અને અણીયાળી આંખો કામણગારી લાગી. સુડોળ અને ઘાટીલું પેટ જોઈ મોં મલકાયું.
છેવટે પગ તરફ નજર ગઈ. મોં મચકોડ્યું. અર૨૨.. ભગવાને આટલી સુંદરતા આપી પણ પગ આપવામાં કેવી કંજુસાઈ કરી ? વાંકાચૂકા અને ખડબચડાં પગ. કેવા કદરૂપા ! અરે ભગવાન ! આ તે શું કર્યું ?
આવા વિચારોમાં અટવાયું હતું એવામાં સનનન કરતું એક તીર એના ચાર પગ વચ્ચેથી પસાર થયું. સાબર ચોંકી ગયું. તત્ક્ષણ ખ્યાલ આવી ગયો કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org