________________
આભનાટેકાઃ ૮૯ હોય છે, ત્યારે આપણી ભૂમિકા વશરામ-રુડીની છે કે ખોડા રતનની છે? આત્મનિરિક્ષણ કરીએ અને આપણા જીવનની ઘટનામાંથી શો બોધ લઈએ? બનેલા બનાવોમાં આપણી વિચારધારામાં કે દષ્ટિકોણમાં ફેરફાર કરીએ છીએ? આટલા પ્રશ્નો વિચારવા માટે રાખીએ અને પ્રસંગના નિષ્કર્ષને ગાંઠે બાંધી લઈએ.
જો આણે આમ કર્યું હોત, જો આમ ન કર્યું હોત; આ બનાવ આ રીતે નહીં પણ આ રીતે બન્યો હોત તો આમ પરિણામ આવત. --આવા હિસાબ કે ગણતરીમાં મન-મગજ-સમય-શક્તિ ખર્ચવા તે માત્ર મૂર્ખતા છે. નુકશાનીના બનાવમાં અટકી જવાથી કે તેને અંગે ચિંતા કરવાથી માત્ર રાગદ્વેષની વૃદ્ધિ જ થાય છે, જે હાથમાં નથી તે ભવિષ્યની વિચારણામાં જ ડૂબેલા રહેવાથી પુરુષાર્થની હાની જ થાય છે. આ બન્ને પ્રકારની વિચારણા વિધેયાત્મક શક્તિનો હ્રાસ કરનારી છે. બની ગયેલી ઘટનાને બળતરા સાથે ઘૂંટવાથી, ઘૂંટી ઘૂંટી ઘેરી બનાવવાથી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ પેદા થાય છે. જે નકારાત્મક લાગણી ઉત્પન્ન થઈ તેનાથી જીવનઉર્જાનું અધોગમન થાય છે. કાંઈ પણ લાભ થવાને બદલે નુકશાન જ થાય છે, તેથી ચિત્તને એવું કેળવવું જોઈએ કે એ આવા વિચારમાં રોકાય જ નહીં.
આવે વખતે ચિત્તને શાન્તિમાં રાખવા નિયતિવાદનો, ભવિતવ્યતાનો સહારો લેવાનો; એ કાળે ઘટના બનવાની હતી તે બની, હવે તેનો શોક, સંતાપ કે વિષાદ શા માટે?
જે ઘટના બની નથી તેને માટે નિયતિવાદનો સહારો લેવાનો નથી. જો તેમ કરીશું તો પુરુષાર્થની હાની થઈ જશે. “જે કાળે બનવાનું છે તે બનશે એમ બોલવાનું કે વિચારવાનું નથી પણ જે કાળે બનવાનું હતું તે બન્યું. હવે નવેસરથી પુરુષાર્થ કરીશું તો જે ધારીશું તે બનશે એમ વિચારીને પુરુષાર્થને સતેજ બનાવવાનો છે.
રાગદ્વેષની વૃદ્ધિ નથી કરવાની અને પુરુષાર્થની હાની નથી કરવાની, એવા વિચારો કરવાથી શક્તિનું ઉદ્ઘકરણ થાય છે. ચિત્ત અકારણ પ્રસન્ન રહે છે. ઘટના ગમે તેવી હોય, તેને જોવાની આપણી દષ્ટિ સવળી હોય તો દેખીતી રીતે દુઃખદ દેખાતી ઘટના પણ આપણા માટે સુખદ બની જાય.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org