SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આભના ટેકાઃ ૮૫ આ ગરમીનો કાંઈક ઉપાય કરવો જોઈએ, મહેલમાં એકાદ ખંડ ચંદનનો હોય તો ઠંડકનો અનુભવ થાય અને શાતા વળે. મંત્રીએ સત્વરે કહ્યુંરાજન, આપની ઈચ્છા થઈ છે તો જરૂર એ બની જશે. પુણ્યવંતને ઈચ્છા માત્ર વિલંબ.” રાજા કહે : થઈ જશે કહો છે પણ તે તો આવતે ઉનાળે ખપમાં આવે. મંત્રી કહે તુર્ત જ કરાવી દઉં. વળતે દિવસે સવારમાં જ વેપારીને કહેવરાવ્યું : તમારા ફળીયામાં જેટલું ચંદન છે તે બધું જ રાજ દરબારે મોકલી આપો, સાથે તેની કિંમત પણ જણાવજો, જે કંઈ વ્યાજ ચડ્યું હોય તે પણ ઉમેરજો. વેપારી આ જાણી રાજીના રેડ થઈ ગયો. એને થયું, કોઈ માઠા સમાચાર તો નથી. તો પછી આટલા બધાં ચંદનની તે શી જરૂર પડી હશે? પણ મારે વિચારવાનું શું કામ છે? દામ મળે છે પછી શું? ચંદન રાજ દરબારે પહોંચી ગયું. સુથારે એનું કામ શરૂ કરી દીધુ. વેપારીને પૂરતા પૈસા મળી ગયા. એનું મન હળવું થઈ ગયું. ચિંતા ટળી ગઈ. મનમાંથી રાજાના મૃત્યુનો વિચાર ગયો. વાદળ વરસી જાય કે વિખરાઈ જાય પણ તે પછી તો સૂરજને પ્રકાશ મળે છે ! પછી રાબેતા મુજબ તે વેપારી રાજસભામાં ગયો. રાજાએ તેને જોયો. રાજાના મનમાં સહજ પ્રસન્નતાનો અનુભવ થયો. આશ્ચર્ય થયું. સભા બરખાસ્ત થયા બાદ મંત્રીને આ પૂછ્યું : તમે કંઈક કર્યું જણાય છે ! મંત્રી કહે : આપણે પરિણામ સાથે નિસ્બત છે. આપે સોપેલું કામ થઈ ગયું. આ કથાનો સાર મહત્ત્વનો છે. આપણા ચંદન વેચવા માટે કોઈની ચિતા ખડકવાની જરૂર નથી. આપણા 'સુખને માટે કોઈને દુઃખ દેવાનો વિચાર ન કરવો જોઈએ. કોઈને દુઃખી કરવાનો વિચાર કરીએ છીએ ત્યારે એ આપણે વાવેલું જ દુઃખ આપણને પાછું મળે છે. આપણો જ વિચાર આપણા તરફ પાછો વળે છે. મનના વિચારોની સૂક્ષ્મ અસર થાય છે. શુભ હોય કે અશુભ, મનના વિચારોની અસર થવાની જ. આપણને શુભ વિચારો જ જોઈએ છે, તો શુભ વિચારો જ ફેલાવવા. સર્વ 'દિશાએથી આવતા શુભ વિચારો ઝીલવા એ જ આપણું કર્તવ્ય. p. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005634
Book TitleAabhna Teka
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year2012
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy