________________
૮૪: આભના ટેકા વેપારી અને એના પરિવારની ખૂબ આગતા-સ્વાગતા કરી મંત્રીએ વેપારીને : ચકિત કરી દીધો. વેપારીએ ધન્યતા અનુભવી.
થોડા દિવસ પછી વેપારીએ મંત્રીને નિમંત્રયા. વેપારીએ વળતી મહેમાનગત કરવામાં મણા ન રાખી. જમ્યા પછી બેઉ મિત્રો બહાર વરંડામાં હિંચકે બેસી હળવી પળો માણતા હતા. એવામાં મંત્રીની નજર ફળીયામાં એક ખૂણામાં પડેલા લાકડાના મોટા ઢગલા પર પડી. એ લાકડાના ગંજમાંથી ભારે સુગંધ આવી રહી હતી. સહજ રીતે મંત્રીએ પૂછ્યું આ શું છે? વેપારી આ અચાનક પ્રશ્નથી સાવધ થઈ બોલ્યો તે ચંદન કાષ્ટનો ઢગલો છે. એકવાર હું મલબાર ગયો હતો ત્યાં ચંદન સાવ સસ્તાભાવે મળતું હતું. મને સારો નફો મળશે એ આશાએ મોટો જથ્થો ખરીદી લાવ્યો. અહીં એ પ્રમાણે વેચાયું નહીં. મારી મૂડી અટવાઈ ગઈ. આટલું ચંદન કોણ ખરીદે? મને દિવસ-રાત આ જ ચિંતા કોરે છે ચેન પડતું નથી.
પામે જો ભૂપ મૃત્યુ તો ચિતા ચંદનની બને, તે વિના કોઈ રીતે આ માલ મોંઘો નહીં ખપે. *
વણિક વેપારીને ચંદન ખપાવવાનો આ એક જ રસ્તો દેખાતો હતો. એ વિચારની ધૂનમાં બીજો કોઈ રસ્તો હોય એવી કલ્પના ક્યાંથી આવે ? મંત્રી પાસે બોલતાં બોલાઈ ગયું. મનના ખૂણે પડેલી વાત ઉછળીને બહાર આવી ગઈ. તરત ખ્યાલ આવ્યો : શું બોલાઈ ગયું? સાવધ થયો. આ તો મિત્ર છે. કહ્યું : આ વાત અહીં જ દાટજો.
મંત્રી ઇવકાઈથી કહેઃ ફિકર ન કરો. મનમાં થયું, કારણ પકડાઈ ગયું. પછી બીજી ત્રીજી વાત કરી, વિદાય લીધી.
બે-એક દિવસ પછી રાજ્યના કામે અમુક બાબતમાં સલાહ લેવી જરૂરી હતી. તે બપોરે જ મંત્રી રાજા પાસે ગયો. ઉનાળાના દિવસો હતા, બપોરનો ધોમ ધખતો હતો. શેરીઓ સાવ સુમસામ હતી.
ચકલું ન ફરકે, જાણે ધોળે દિવસે ધાડ. એવું વાતાવરણ હતું. રાજા તાપથી આકળ વિકળ થતાં હતાં. ખસની ભીની ચટાઈઓ બારીએ અને ઝરુખે લટકતી હતી. સેવકો તેના પર થોડી થોડી વારે ગુલાબજળનો છંટકાવ કરતાં હતાં. રાજાએ મંત્રીની વાત સાંભળી ઉતાવળે સલાહ આપી. પછી કહે : * કવિ બોટાદકરની કાવ્ય પંક્તિઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org