________________
દુનિયામાં ખોવાયેલો રહું છું.
વળી પાછા પાલનપુર ગયા. પણ એ દીકરાએ રકમને હાથ લગાડવા સુદ્ધાં ઈચ્છા ન કરી તે ન જ કરી.
આ કિસ્સો શું કહી જાય છે ? અર્થ-લાલસાના આ યુગમાં આ ઘટનાને કોઈ સાચી માની શકે ખરાં ? લોહીના સંબંધો પણ પૈસાની વાત આવે એટલે રેતીના થાંભલા પુરવાર થાય. અડકવા જાઓ કે તરત જમીનદોસ્ત !
વાત એમ બની હતી કે, આબરૂદાર વેપારીને આપેલી રકમ ચોપડે લખાય તો મહેતા-મુનીમના હાથે, નજરે ચડ્યા વિના ન રહે. બજારમાં વાત વહે અને આ વેપારી ભીડમાં આવ્યા છે એટલે વ્યાજે પૈસા લાવ્યા છે એ બધા જાણે. આવું ન થાય તે માટે ૨કમનું નામ-નિશાન ચોપડે ચડાવ્યું જ નહીં !
કેવી ખાનદાની ! અને કેવી દૂરંદેશી ! કેવી હૃદયની ઉદારતા ! આ બધું પિતાજીના પક્ષે. અને ચોપડો બોલતો નથી એટલે, તમે કહેતા હો તો પણ અમારાથી આ રકમ ન લેવાય તેવી પ્રમાણિકતા દીકરાના પક્ષે. અને મેં લીધા છે એટલે મારે આપવા જ જોઈએ એવી છળ-કપટ વિનાની સચ્ચાઈ વેપારીના પક્ષે ! -
આ પ્રસંગને સમજીને આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરવાનું છે. દરેકને આવા તેવા પ્રસંગ જીંદગીમાં આવતા જ હોય છે. તે વખતે આપણે અંદરના અવાજને સાંભળવો જોઈએ, તેને આવકારવો જોઈએ.પૈસાની લાલચ અને ઘેલછાથી વેગળા રહેવું જોઈએ. તેને પ્રારબ્ધ ઉપર છોડવું જોઈએ. એક પબ્લિક કેરિયર પાછળ લખેલું વાક્ય, વિહારમાં રસ્તે વંચાયું હતું તે યાદ રાખવા જેવું છે :
Jain Education International
किसी को वक्त से पहेले और किस्मत से ज्यादा ન મિના હૈ, ન મિતતા હૈ ।
આભના ટેકા : ૮૧
For Personal & Private Use Only
www.jainelibrary.org