________________
આભના ટેકા : ૭૯
અંદરના અવાજને આવકારીએ;
પ્રમાણિક બનીએ
પક્ષીવિદ્દ સલીમઅલી
જાતની સાથે વફાદારી એ ઉન્નત જીવનની સીડીનું પહેલું પગથિયું છે. માણસે પોતાના અંદરના અવાજને કદી અવગણવો જોઈએ નહીં. અંદરથી આવતો અવાજ સાચો જ હોય છે. એ તમારી ચોકી કરે છે, હૂંફ આપે છે. અવસરે આશ્વાસન પણ આપે છે. તમે ભલે તેને ન સાંભળો તો પણ તે બીજીવાર અને ઉદારતાપૂર્વક ત્રીજીવાર પણ તમારે બારણે ટકોરા મારે છે. પછી પણ તમે તેને આવકારો નહીં તો તે તમારે આંગણે ફરકવાનું કાયમને માટે માંડી વાળે છે.
જો ક્યાંયથી પણ ના મળે તો પૂછ અંદર, હર એકની પાસે કાંઈક અખૂટ હોય છે અંદર.
આ અંદરનો જવાબ સાચો જ હોય છે. હિતકારી હોય છે. તેને અનુસરવું એટલે પ્રમાણિક હોવું. આ પ્રમાણિકતા જ આપણા જીવનનો પાયો છે. આ સંદર્ભમાં એક સાચી બનેલી ઘટના યાદ આવે છે :
આ ઘટનાને બહુ વર્ષ થયા નથી. જાણીતા મુસ્લિમ બિરાદર પક્ષીવિદ્ સલીમઅલીને સહુ જાણે છે. તેમના પિતા પાલનપુરમાં ધીરધારનો ધંધો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org