________________
૭૮: આભના ટેકા
રાજા તો આ ભગીરથ કાર્યને અશક્ય ગણતો હતો. બધું જ ખૂટી પડશે, વ્યવસ્થાતંત્ર ભાંગી પડશે તેવું માની બેઠો હતો. જ્યારે સાંજે બધું જાતે નિહાળવા નીકળ્યા ત્યારે અચંબાથી આંખ પહોળી થઈ ગઈ ! મનના ભ્રમની ભોગળ ભાંગી ગઈ ! એમાંયે જ્યારે ઝાંઝણે પાંચ પકવાનના ઢગલાથી ઉભરાતા ઓરડા બતાવ્યા ત્યારે તો આશ્ચર્યની અવધિ આવી ગઈ ! બધા પકવાન લાલ કપડાંથી ઢાંકેલાં હતાં. આટઆટલો મહેરામણ ભરપેટ જમ્યા પછી પણ ભંડાર ભર્યા પડ્યા છે ! શેનો છે આ બધો પ્રભાવ?
ઝાંઝણ કહે કે આ બધો ચમત્કાર તો અમારા ગુરુ મહારાજ શ્રી ધર્મઘોષસૂરિ મહારાજની કૃપાનો છે. ઉત્સુક રાજા કહે છે તેઓ ક્યાં વિરાજે છે? ઝાંઝણ રાજાને આચાર્ય મહારાજ પાસે લઈ ગયો. રાજા ઝૂકી પડ્યો. નિસ્પૃહતાથી ભર્યા ભર્યા સૂરિવરને જોઈ રાજાનો ગર્વ ગળી ગયો ! ઇતિહાસને પાને ઝાંઝણ મંત્રીશ્વરનું રાજ્યવાત્સલ્ય અમીટ અક્ષરે અંકિત થયું !
પ્રથમિણી માતની કૂખ ઉજાળી; પેથડના વંશને દીપાવ્યો અને આભૂશેઠના આશીર્વાદ ફળ્યા!
આવા ધર્મપ્રભાવક મંત્રીશ્વર અમર રહો ! સાધર્મિક પ્રત્યેની આવી અથાગ લાગણી અમર રહો ! જય હો ! જય હો ! પ્રભુશાસનનો જય હો ! ]
- -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org