________________
આભના ટેકા : ૭૫
ભીના હૈયે વિદાય માંગીને માંડવગઢ પધારવાનું આમંત્રણ આપીને બધા રસ્તે પડ્યા. રસ્તે બધા આ જ વાતો કરતા હતા. કોઈએ, જમતાં-જમતાં રસોઈના સ્વાદને કારણે પત્નીને અને પીરસનારના હેત-પ્રીતના કારણે માતાને વિસરી ગયાની વાત કરી. કોઈ કહે, આવા કમોદના ભાત તો ચાખ્યા જ નથી, શી શેની મીઠાશ હતી ! કોઈ કહે, ઘીની શું કમાલ સોડમ હતી, હું તો નાકથી સૂંઘતાં સૂંઘતાં જાણે પીવા જ માંડું એમ થઈ આવ્યું !
ભાઈ ! આપણને તો આ સદાકાળ યાદ રહેશે. કાળજે કાયમ માટે કોરાઈ જશે ! ધન્ય ઉદારતા ! ધન્ય ભક્તિ ! ધન્ય ઘડી ! આપણે આવું ક્યારે કરીશું ! એવા એવા મનોરથ સાથે પોતાના ગામને પાદર પહોંચ્યા. સંઘ હેમખેમ પાર પડ્યો તેથી ઝાંઝણ ખુશ હતા. વળી મોંઘેરા આશીર્વાદની મૂડી ભેટ પામ્યા હતા તેથી વધુ આનંદિત હતા. આ બીજ એવું વવાયું હતું કે એ એક દિવસ રાજ્ય-વાત્સલ્યના ઘેઘૂર વટવૃક્ષ રૂપે પાંગરવાનું હતું.
આ ઘટના પછી ઘણે વર્ષે આ પ્રસંગ બન્યો.
વાત આમ બની હતી.
મંત્રીશ્વર ઝાંઝણે માંડવગઢ-માળવાથી જૂનાગઢના શ્રી ગિરનારમંડન શ્રી નેમિનાથ ભગવંત અને ગિરિરાજ-શણગાર શ્રી ઋષભદેવ ભગવંતની યાત્રાનો સંઘ કાઢ્યો. શ્રમણ ભગવંત, શ્રમણી વર્ગ, શ્રાવક-શ્રાવિકા અને સાજનમહાજન -બધા મળીને સંખ્યાનો કુલ આંકડો બે લાખ આસપાસ પહોંચ્યો ! આવો ભવ્ય સંઘ માર્ગમાં આવતાં નાના-મોટા અનેક તીર્થોને જુહારતાં, સ્પર્શના કરતાં તથા બન્ને મહાન તીર્થોની યાત્રા કરી, પુનઃ માંડવગઢ તરફ આવી રહ્યો હતો. સંઘ ગુજરાતમાં આવ્યો; કર્ણાવતીને પાદર, સાબરમતીના વિશાળ પટમાં પડાવ છે. હરખઘેલા બે લાખ યાત્રિકો આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજની નિશ્રામાં તથા પૂર્ણ સફળતાની પૂર્વ શરત જેવા નિરહંકારી નેતૃત્વથી શોભતા ઝાંઝણના સંઘપતિપણા હેઠળ કલ્લોલ કરતા હતા. ઝાંઝણની સાહસિકતા અને ચતુરાઈના ચમકાર તો યાત્રિકોને રોજ રોજ જોવા-જાણવા મળતાં હતા. એના ઔદાર્ય, શીલ અને સૌભાગ્ય એવા સિદ્ધ થયા હતા કે ધર્મઘોષસૂરિ મહારાજની વાણી પણ એવી વાતો કરતાં થાકતી ન હતી.
એવામાં એક બનાવ બન્યો.
--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org