________________
૭૦: આભના ટેકા
સાકરચંદ તો બાઘો બની આ સાંભળી રહ્યો; કહે : બાપજી ! મેં પેટીને કદી અમસ્તો પણ હાથ અડાડ્યો નથી. સારેગમના સૂરની કશી ગતાગમ નથી. મહારાજ કહે: બેસ. તને આવડશે. તુ ગાઈ શકીશ, વગાડી શકીશ. સાકરચંદે ગુરુને પ્રણામ કર્યા. મહારાજે એને માથે હાથ મૂક્યો. આશીર્વાદ આપ્યા. ગુરુનો ચરણ સ્પર્શ કરી, પેટીનું અભિવાદન કરી ચાકરચંદે સંગાથ આપ્યો ! પેટીએ સૂર પુરાવ્યો. આંગળીઓ ફરવા લાગી. દેશીઓ ગવાતી ગઈ તેમ તેમ સૂર નીકળવા લાગ્યા ! પૂજા ભણાઈ. ગામ આખામાં વાત ફેલાઈ. પછી તો સાકરચંદે વર્ષો સુધી પૂજાઓ ભણાવી. અમે પણ વિક્રમ સંવત ૨૦૧૮૧૯માં એમને સાંભળ્યા છે. બરાબર ઢબથી રાગ-રાગિણીથી પૂજાઓ ભણાવતા!
આ તે વચન સિદ્ધિ જ ને?
હવે સિહોર ગામમાં બનેલો પ્રસંગ જોઈએ. વરતેજ પાસેનું ગામ. ત્યાં વિહાર કરીને મુનિશ્રી પધાર્યા હતા, ઉપાશ્રયમાં બિરાજમાન હતા. ઉપાશ્રયમાં પોપટ નામનો એક માણસ કામ કરે; સાધુ ભગવંતોની સેવા કરે. એ કાજો. કાઢતો હતો.
વીરવિજયજી મહારાજે એની સામે જોઈ, એને બોલાવવા બૂમ પાડી - પોપટ ! જવાબ ન મળ્યો. બીજી બૂમ, ત્રીજી બૂમ પોપટ ! પોપટ!
જવાબ ક્યાંથી મળે? એક ભાઈ ત્યાં હાજર હતા. તે કહે : મહારાજજી આ પોપટ સાંભળતો નથી. બોલતો ય નથી. એ એને મહારાજ સમક્ષ લઈ આવ્યા.
વીરવિજયજી કહે : બોલ ! પોપટ બોલ!
મહારાજશ્રીના આ વચનો જાણે એના અંતરપટને ભેદી અંદર ઊતરી રહ્યાં હતાં ! જ્ઞાનતંતુઓ ઝણઝણી ઊડ્યા ! એને વાચા ફૂટી. જનમનો મૂંગો પોપટ પંચાવન વર્ષે બોલતો થયો!
મુનિશ્રી વીરવિજયજી આવા વચનસિદ્ધ અને સંકલ્પસિદ્ધ હતા! વૈરાગ્ય, વિરતિ અને વચનશુદ્ધિનો આ ચમત્કાર હતો. ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org